ઈશ્વરિયા પાર્કમાં દિવાળીના તહેવારોમાં પણ કાગડા ઉડે જેવી સ્થિતિ

  • November 17, 2023 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિવાળીના તહેવારો દરમિયાન પાંચ દિવસથી માંડી એકાદ સપ્તાહ સુધીની રજા ઓફિસો, સરકારી કચેરીઓ અને કારખાના સહિતના ધંધાના સ્થળોએ હોવાના કારણે રાજકોટ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં હૈયે હૈયું દળાય તેટલી માનવમેદની ઉમટી પડી હતી. પરંતુ રાજકોટની ભાગોળે જામનગર રોડ પર આવેલા ઈશ્વરિયા પાર્કમાં કાગડા ઉડતા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

10 નવેમ્બર થી પાંચ દિવસ માટે ઈશ્વરીયા પાર્ક સવારે 8:00 થી રાત્રિના આઠ વાગ્યા સુધી ખુલ્લો હતો. પરંતુ માત્ર 500 જેટલા લોકોએ પાંચ દિવસમાં આ પાર્કની મુલાકાત લીધી હતી. રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સંચાલિત ઈશ્વરીયા પાર્કમાં એન્ટ્રી ટિકિટ, બોટિંગ ચાર્જ વગેરે પેટે કુલ રૂપિયા 75,350 ની આવક થવા પામી છે.

સરકારી કચેરીઓ અને કારખાનાઓ સહિત મોટાભાગના સ્થળોએ હજુ તહેવારોનો માહોલ પૂરેપૂરો દૂર થયો નથી તે બાબતને ધ્યાનમાં રાખી આગામી રવિવાર સુધી સવારે 08:00 થી રાત્રીના આઠ વાગ્યા સુધી ઈશ્વરીયા પાર્ક ખુલ્લો રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application