બકરી ઇદનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પોરબંદર સહિત રાજ્યભરમાં બકરી ઇદ પર્વની કાયદાકીય જોગવાઇનું ચુસ્તપણે પાલન કરાવવા પોરબંદરથી માંગ થઇ છે.
પોરબંદરમાં ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિલમ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ ડો. નેહલબેન કારાવદરાએ પોરબંદરના જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, મ્યુનિસિપલ કમિશ્નર હસમુખ પ્રજાપતિ અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાને પાંચ પાનાનું આવેદનપત્ર પાઠવીને જણાવ્યુ છે કે આગામી તા. ૬ જૂન ૨૦૨૫ના રોજ બકરી ઇદનો તહેવાર રાજ્યભરમાં મનાવવામાં આવે છે. આ બાબતને ધ્યાનરમાં રાખી પોરબંદર સહિત રાજ્યમા ગેરકાનૂની રીતે પ્રાણીઓ તથા બકરા અને ઘેટાની કતલ કે કુરબાની ન થાય તથા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ કાયદાકીય જોગવાઇઓનું પાલન થાય તે જરી છે, જે સંક્ષિપ્તમાં નીચે મુજબ રજૂ કરેલ છે.
ગૌવંશ અને ભેંસની કુરબાની પર પ્રતિબંધ
ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૫૪ના સેકશન-૫(૩) અનુસાર ગાય અને ગૌવંશ પ્રાણીઓની ધાર્મિક હેતુસર કતલ અથવા કુરબાની પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ છે. એજ રીતે ભેંસની ધાર્મિક હેતુસર કતલ ઉપર પણ પ્રતિબંધ છે.
સુપ્રીમ કોર્ટે પ્રસ્થાપિત કરેલ છે કે બકરી ઇદના દિવસે ગાયની કુરબાનીનો ઇસ્લામ ધર્મના પુસ્તકોમાં કોઇ જ ઉલ્લેખ નથી. તેથી આવી કુરબાની ગેરકાયદે છે. આ પ્રકારની કાનુની જોગવાઇ હોવા છતાં રાજ્યમાં ગાય અને ગૌવંશની કતલ, કુરબાની આદિવસે થાય છે તે સંપૂર્ણપણે રોકાવી જોઇએ. પોલીસ તંત્ર તેના કાર્યક્ષેત્રમાં મોટા પાયે રોડા પાડી ગૌવંશની કતલ, કુરબાની અટકાવે તે ખૂબજ જરી છે.
ટ્રાન્સપોર્ટ સંબંધી કાયદાઓનો ભંગ
ધી પ્રીવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એકટ-૧૯૬૦ નીચે ટ્રાન્સપોર્ટ ઓફ એનીમલ્સ લ્સ -૧૯૭૮ તથા એમેન્ડમેન્ટ-૨૦૦૯ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. ૧૯૭૮ના મૂળ લ્સમાં વર્ગવાર પ્રાણીઓ માટે કોમ્પીટન્ટ વેટરનરી ઓફીસરના હેલ્થ સર્ટીફિકેટ માટે જોગવાઇ કરવામાં આવી છે. જેમાં ગાય, ગૌવંશ, ભેંસ માટે લ્સ નં ૪૭ અને એચ સીડયુલ તથા ઘેટા બકરા માટે લ્સ -૬૫ અને જે-સેડયુલ તથા ડૂકકર માટે લ્સ નંબર -૮૭ અને એ-શેડયુલની જોગવાઇનો ભંગ થતો જોવા મળે અથવા પ્રાણી કલ્યાણ સંસ્થા તરફથી ફરિયાદ મળે તો તાત્કાલિક ટ્રાન્સપોર્ટ સંબંધી પરવાનગી રદ કરવામાં આવે તથા પોલીસ તંત્રની ફરજ ગણાશે કે પ્રાણીઓનું આગળનું ટ્રાન્સપોર્ટેશન અટકાવી દેવામાં આવે તથા આરોપી વિધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને ટ્રાન્સપોર્ટ થઇ રહેલ પ્રાણીઓની કાયદા મુજબ વ્યવસ્થા કરવામાં આવે તેવી કાનુની જોગવાઇ કરવામાં આવી છે.
સર્ટીફિેકેટનું પાલન કરાવો
ટ્રાન્સપોર્ટ ઓફ એનીમલ્સ લ્સ-૨૦૨૧ના લ -૯૬માં જોગવાઇ કરવામાં આવી છે કે પ્રાણીના ટ્રાન્સપોર્ટેશન શ થયા પહેલા કોમ્પીટન્ટ અધિકારી પાસેથી પ્રાણીના ટ્રાન્સપોર્ટેશન સંબંધી તમામ કાયદાકીય જોગવાઇઓનું પાલન કરવામાં આવ્યુ છે તે મતલબનું સર્ટીફિકેટ મેળવવાનું રહે છે.ગુજરાત સરકારે કોમ્પીટન્ટ અધિકારી તરીકે તાલુકાના વેટરનરી ઓફીસરને જાહેર કરેલ છે. જો આવુ સર્ટીફિકેટ આરોપી પાસે ન હોય તો પોલીસે પ્રાણીઓનું ટ્રાન્સપોર્ટેશન અટકાવી આરોપી સામે કાનુની કાર્યવાહી કરવી જોઇએ.
પોલીસનું જાહેરનામું
બકરી ઇદ નિમિત્તે ઘેટા, બકરા તથા પ્રાણીઓની જાહેરમાં તથા ચાર રસ્તા પર કુરબાની ન આપવા માટે ક્રિમીનલ પોસીઝર કોડ -૧૯૭૩ની કલમ-૧૪૪ નીચે પ્રતિવર્ષ પોલીસ તરફથી એક જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા -૨૦૨૩ની લાગુ પડતી કલમ નીચે પોલીસે જાહેરનામું પ્રસિધ્ધ કરવાનું રહે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર આરોપીઓ સામે કાનુની કાર્યવાહી થવી જરી છે.
કુરબાની માટે લવાતા પશુઓની મેડિકલ તપાસ
બકરી ઇદ નિમિત્તે ઘેટા, બકરા તથા પ્રાણીઓ કુરબાની માટે લાવવામાં આવે છે. આવા પ્રાણીઓ બીમાર અને રોગીષ્ટ હોઇ શકે છે. કુરબાની કરેલ ઘેટા બકરાનું માંસ લઘુમતિ કોમના લોકો ખોરાક માટે ખાવાના છે. તેનાથી સ્વાસ્થ્યને ગંભીર અસર થાય છે. તેથી કુરબાની માટે લાવવામાં આવતા ઘેટા, બકરાને કવોરેન્ટાઇનમાં રાખવામાં આવે, મેડિકલ ચેકઅપ થાય અને જે બીમાર, રોગીષ્ટ હોય તેને અલગ તારવી સુરક્ષિત કરવામાં આવે અને આ બધી પ્રક્રિયા ગવર્નમેન્ટ વેટરનરી ડોકટરની હાજરીમાં થાય અને શહેરી બહાર મોટા વાડામાં આ પ્રક્રિયા થાય, અન્યથા અન્ય ઘેટા બકરા પણ ચેપી રોગનો ભોગ બની શકે છે.
કાયદાકીય જોગવાઇનો અમલ
નીચેની કાયદાકીય જોગવાઇનો ભંગ થઇ રહ્યો છે કે કેમ તે તપાસવું જરી છે.
ધી પ્રીવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ્સ એકટ-૧૯૬૦, સેકશન-૧૧ (પ્રાણી પર થતી ક્રૂરતા), ગુજરાત મોટર વેહીકલ લ્સ-૧૯૮૯ના લ-૧૨૩ કે જેમાં વાહનમા જગ્યા મુજબ આર.ટી.ઓ.નું કેપેસીટી સર્ટીફિકેટ હોવું જરી છે. સ્લોટર હાઉસ લ્સ -૨૦૦૧ના લ -૩માં તથા ધી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડઝ (લાયસન્સીંગ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ ફૂડ બીઝનેશીસ) રેગ્યુલેશન્સ -૨૦૧૧ના રેગ્યુલેશન -૯.૦૭માં જોગવાઇ કરવામાં આવી છે કે માન્યતા પ્રાપ્ત કતલખાનામાંથી માંસ મેળવીને જ મીટ શોપમાં તેનું વેચાણ કરી શકાય છે. એટલે કે કોઇપણ પ્રાણીની કતલ માન્યના પ્રાપ્ત કતલખાના સિવાય કરી શકાતી નથી તથા રેગ્યુલેશન -૯.૧૩માં જોગવાઇ કરવામાં આવી છે કે ગેરકાયદેસર સોર્સથી અથવા સ્ટેમ્પીંગ વગરનું મેળવેલ માંસ જપ્ત થવાને અને નાશ થવાને પાત્ર બને છે. પ્રાણીઓને જો પગે ચલાવીને લઇ જવામાં આવતા હોય, ટ્રાન્સપોર્ટેશન થતુ હોય ત્યારે ટ્રાન્સપોર્ટ ઓફ એનીમલ્સ (ફૂટ લ્સ) લ્સ-૨૦૦૧ ના ભંગ બદલ આરોપીઓ સામે કાનુની કાર્યવાહી થવી જોઇએ. પ્રાણીઓને કુરબાની માટે લઇ જવામાં આવે છે કે કતલ માટે તે ચકાસવા કોઇ માપદંડ જાહેર થયેલ નથી. તેથી તે કતલ માટે જ લઇ જવાય છે તેવું પોલીસે અનુમાન કરવું જોઇએ.
ગુજરાતમાં અત્યારે અમદાવાદ સુરતના સલાબતપુરા અને રાંદેર, વડોદરા તથા રાજકોટ એમ કુલ ૫ માન્યતા પ્રાપ્ત સરકારી કતલખાના કાર્યરત છે. તેથી તેમાં ઘેટા બકરા અને પ્રાણીઓને લઇ જવામાં આવતા હોય તો બીજી બધી શરતો પૂર્ણ કરે તો જ લઇ જવાની છૂટ આપી શકાય તે સિવાય લઇ જવાતા હોય તો રોકવા જોઇએ.
રાજ્યમાં ગેરકાયદે ચાલી રહેલ કેટલ માર્કેટ
રાજ્યના અનેક શહેરોમાં પ્રાણીઓના ખરીદ વેચાણ માટેના બકરામંડી અથવા તો કેટલ માર્કેટ ચાલી રહેલ છે તે ઉપરાંત બકરી ઇદ નિમિત્તે કામચલાઉ બકરામંડી પણ ચાલતી રહે છે. આપનું ધ્યાન દોરવાની રજા લઉં છું કે ભારત સરકારે રેગ્યુલેશન ઓફ લાઇવસ્ટોક માર્કેટ લ્સ-૨૦૧૧ પ્રસિધ્ધ કરેલ છે.જેમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ પદે રચાયેલી ડિસ્ટ્રીકટ એનિમલ માર્કેટ મોનીટરીંગ કમીટી કેટલ માર્કેટને કાનૂની રજીસ્ટ્રેશન આપવાનું કામ કરે છે. રાજ્યમાં કોઇપણ જિલ્લામાં એકપણ કેટલ માર્કેટ, બકરામંડીને આજ સુધી રજીસ્ટ્રેશન કરવામાં આવેલ નથી. બીજા અર્થમાં સમગ્ર રાજ્યમાં તમામ કેટલ માર્કેટસ, બકરામંડી ગેરકાયદે ચાલી રહેલ છે. તે ઉપરાંત બકરી ઇદ નિમિત્તે શ કરવામાં આવતી કામચલાઉ બકરામંડી પણ કાયદાકીય જોગવાઇ અનુસાર ગેરકાયદે ચાલી રહેલ છે તે તમામને બંધ કરાવી તેના સંચાલકો સામે કાનુની કાર્યવાહી થવી જોઇએ તે જરી છે. ઉકત નિયમોના ભંગ બદલ પી.સી. એ. કાયદાની કલમ ૩૮ મુજબ એન.સી. કમ્પલેન્ટ નોંધી પ્રાણીઓ પી.સી.એ. કાયદાની કલમ ૩૪ મુજબ તથા બી.એન.એસ.ની કલમ ૧૦૬ મુજબ જપ્ત કરવા જરી છે.
કાયદાકીય જોગવાઇનું પાલન કરાવો
ઉપરોકત કાયદાકીય જોગવાઇઓનું સાચા અર્થમાં પાલન થાય તે માટે કોર્પોરેશન વિસ્તારમાં પરવાનગી વિના કોઇ પણ પ્રાણીનો પ્રવેશ ન થાય તે અંગે કડક પગલા લેવા અને પરમીટ વિનાના પ્રાણીઓને જપ્ત કરવા. તા. ૧૮-૭-૨૦૨૦ના રોજની ગુજરાત રાજ્ય એનિમલ વેલ્ફેર બોર્ડની સૂચનાઓનું પાલન કરાવવું તથા તા. ૫-૬-૨૦૨૪ના રોજની એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની એડવાઇઝરીનું પાલન કરાવવું. પ્રાણી ક્રૂરતા અધિનિયમ અને તે હેઠળના ટ્રાન્સપોર્ટના નિયમ તથા કતલખાનાના નિયમોનું કડક પાલન કરાવવું અને તેના ભંગ બદલ સત્તાવાળાઓને એફ. આઇ.આર., એન.સી. કમ્પ્લેન્ટ તાત્કાલિક નોંધી પી.સી.એ.ની કલમ ૩૪ તથા બી.એન.એસ.ની કલમ ૧૦૬ મુજબ પ્રાણીઓ જપ્તન કરવા સૂચના આપવા વિનંતિ.
તમામ કાયદા અને ચુકાદાઓનું પાલન કરાવવા માટે દરેક અલગ-અલગ વિસ્તારમાં નોડલ ઓફિસરોની નિમણૂંક
(અનુ. છઠ્ઠા પાને)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી: CID ક્રાઈમના EOW PSI સિસોદિયા સસ્પેન્ડ
June 05, 2025 11:35 PMબેંગલુરુ ભાગદોડ: RCB એ એવી કઈ ભૂલ કરી કે જેના પર FIR દાખલ થઈ?
June 05, 2025 09:40 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 167 નવા કેસ, એક્ટિવ કેસ 600ને પાર
June 05, 2025 09:04 PMગૌતમ ગંભીરનું ચોંકાવનારું નિવેદન! ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં કહી દીધું, "જીતની ગેરંટી નહીં..."
June 05, 2025 09:01 PMડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગે કરી વાત, ટેરિફ પર અટકેલી વાતચીત શું ફરી થશે શરૂ?
June 05, 2025 08:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech