પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરથી ૦૨ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવનગર મંડળમાં સ્વચ્છતા પખવાડા દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારની માર્ગદર્શિકા અનુસાર રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે અને આ અભિયાનમાં તેમની ભાગીદારી પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સ્ટેશનો પર એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા સ્વચ્છતાને લગતી જાહેરાતો સતત કરવામાં આવી રહી છે, જેથી મુસાફરોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરી શકાય. ભાવનગર રેલ્વે મંડળના સ્ટેશનો, રેલ્વે કોલોનીઓ, આરોગ્ય એકમો, કચેરીઓ અને કોચીંગ ડેપોમાં સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. ૨૦ સપ્ટેમ્બરને શુક્રવાર ના રોજ, ભાવનગર પરા ના રેલ્વે સ્ટેડિયમ કોલોની ખાતે મંડળ કચેરી ભાવનગર પરા ના સ્થાપના વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રમદાન કર્યું હતું. અને વડાપ્રધાન દ્વારા ચલાવવામાં આવેલ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને તમામ કર્મચારીઓએ ગર્વ અનુભવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech