મોદી સરકારે કટોકટી દરમિયાન અમાનવીય વેદના સહન કરનારા લોકોના "અપાર યોગદાન"ને યાદ કરવા માટે 25 જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે મનાવવાનું નક્કી કર્યું છે. હવે કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈને ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે.
સંજય રાઉતે શું કહ્યું?
ઇમરજન્સી 1975ની યાદમાં 25 જૂને બંધારણ હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું, "...ઇમરજન્સીને 50 વર્ષ થઈ ગયા છે, લોકો ભૂલી ગયા છે. આ દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. કારણકે 1975ની કટોકટી હતી. કારણકે કેટલાક લોકો આ દેશમાં અરાજકતા ફેલાવવા માગતા હતા, પોલીસ અને સેનાને સરકારના આદેશનું પાલન ન કરવા માટે ઉશ્કેરવામાં આવી રહી હતી, અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હોત તો તેઓ પણ કટોકટી લાદી હોત, પીએમ મોદી સરકારને બહુમતી ન મળી, કારણકે તેઓ બંધારણ બદલવા માગતા હતા.
કોંગ્રેસે મોદી સરકાર પર કર્યો પલટવાર
કોંગ્રેસે શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકારની ઇમરજન્સીને 'બંધારણ હત્યા દિવસ' તરીકે મનાવવાની હિલચાલ માત્ર હેડલાઇન પકડવાની કવાયત છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 થી 2024 દરમિયાન દેશમાં 'અઘોષિત કટોકટી' લાદી હતી. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે એમ પણ કહ્યું કે 4 જૂન, 2024નો દિવસ ઈતિહાસમાં 'મોદીમુક્તિ દિવસ' તરીકે નોંધવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી હતી કે 'બંધારણ હત્યા દિવસ'ની ઉજવણી દરેક ભારતીયમાં વ્યક્તિગત સ્વતંત્રતા અને લોકશાહીના રક્ષણની શાશ્વત જ્યોતને પ્રજ્વલિત રાખવામાં મદદ કરશે. જેનાથી કોંગ્રેસ જેવા "સરમુખત્યારશાહી દળો"ને ‘તે ભયાનકતાનું પુનરાવર્તન કરતા’ અટકાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું કોઈ દેશ વિઝા પર પ્રતિબંધ મૂકી શકે છે? જાણો ક્યારે લેવામાં આવે છે આ નિર્ણય
April 09, 2025 04:21 PMસંત કંવરરામ મંદિરે ઝુલેલાલ કથા નું આયોજન ૧૪૦મો જન્મોત્સવ ની ઉજવણી કરાશે....
April 09, 2025 04:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech