ઇલેકિટ્રક કાર નિર્માતા કંપની ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે મોડે મોડે નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. મસ્કે કહ્યું કે, તેમની કંપનીઓ ભારતમાં કામ કરવા ઉત્સાહિત છે. મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી, વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં તમારી જીત બદલ અભિનંદન. મારી કંપનીઓ ભારતમાં કામ કરવા આતુર છે.
નોંધનિય છે કે,ચૂંટણી પહેલા મસ્કે ભારતની મુલાકાતની જાહેરાત કરી હતી. જોકે બાદમાં તેમણે પોતાનો ભારત પ્રવાસ સ્થગિત કરી દીધો હતો. અને ચીનની મુલાકાતે ચાલ્યા ગયા હતા.ગયા વર્ષે જૂનમાં યારે નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે ઈલોન મસ્ક તેમને ત્યાં મળ્યા હતા. આ દરમિયાન પોતાને મસ્કે કહ્યું હતું કે, ટેસ્લા ભારતમાં રોકાણ કરશે. ટેસ્લાની જેમ કંપનીએ ગયા વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે, તે ૨૪,૦૦૦ ડોલરની કિંમતની એલેકત્રક કારનું ઉત્પાદન કરવા માટે ભારતમાં ફેકટરી ખોલવામાં રસ ધરાવે છે. ઈલોન મસ્કે ૨૦૧૯ની શઆતમાં ભારતમાં રોકાણ કરવા માટે સૌપ્રથમ રસ દર્શાવ્યો હતો. જોકે તેમણે ઐંચા આયાત કર અંગે વાંધો ઉઠાવ્યો હતો. ભારત સરકાર સ્પષ્ટ્રપણે કહ્યું હતું કે, જો ટેસ્લા ભારતમાં મેન્યુફેકચરિંગ પ્લાન્ટ સ્થાપશે તો રાહતો પર વિચાર કરવામાં આવશે. સરકારે ટેસ્લાને ભારતમાં ચીની બનાવટની કાર વેચવાની પરવાનગી આપી નથી. સરકારે ઈલોન મસ્કની કંપનીને દેશમાં મેન્યુફેકચરિંગ પ્લાન્ટ સ્થાપવા કહ્યું હતું જેથી સ્થાનિક વેચાણ અને નિકાસ માટે ઉત્પાદન કરી શકાય. ટેસ્લા ગુજરાત અથવા તમિલનાડુમાં ફેકટરી સ્થાપવા માટે જમીન પણ શોધવા માંડી હતી અને તે માટે કંપનીના અધિકારીઓ બ મુલાકાત પણ લઇ ચુકયા હતા. મસ્કે ભારતની મુલાકાતના બે જ દિવસ પહેલા ધડાકો કર્યેા હતો કે તે મોદીને મળવા ભારત નહીં આવી શકે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMસંઘર્ષ યુક્રેનનો હોય કે પશ્ચિમ એશિયાનો, તેની અસર થાય છે: જયશંકરે વ્યક્ત કરી ચિંતા
October 05, 2024 05:15 PMવંદે ભારત પર શા માટે થયો પથ્થરમારો? તપાસમાં મોટો ખુલાસો
October 05, 2024 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech