ઈલોન મસ્કની સરખામણી નારાયણ મૂર્તિ-એસએન સુબ્રમણ્યમ સાથે થઇ

  • February 03, 2025 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કના અમેરિકન અધિકારીઓ પરના કટાક્ષે ભારતના સોશિયલ મીડિયાને યુદ્ધના મેદાનમાં ફેરવી દીધું છે. અમેરિકન અધિકારીઓ પર નિશાન સાધતા ઈલોન મસ્કે કહ્યું કે અમેરિકન નોકરશાહીમાં સપ્તાહના અંતે કોઈ કામ કરતું નથી. તે સમયે લોકો ફક્ત મજા કરે છે. તેથી એવું લાગે છે કે વિરોધી દળો બે દિવસ માટે મેદાન છોડી રહ્યા છે. સપ્તાહના અંતે કામ કરવું એ એક સુપરપાવર હોવા જેવું છે.
ઈલોન મસ્કની આ સોશિયલ મીડિયા પોસ્ટ પર કોટક મહિન્દ્રાના નિલેશ શાહની ટિપ્પણીએ સોશિયલ મીડિયા પર વિવાદ વધાર્યો છે. નિલેશ શાહે લખ્યું છે કે શું એક્સના માલિકને પણ ઇન્ફોસિસના માલિક નારાયણ મૂર્તિ અને એલ એન્ડ ટીના ચેરમેન એસએસન સુબ્રમણ્યમની જેમ ટીકા અને મીમ્સનો સામનો કરવો પડશે કે પછી તેમની પ્રશંસા થશે કારણ કે તેઓ ઈલોન મસ્ક છે.
નિલેશ શાહની આ પોસ્ટ પછી વર્ક-લાઈફ બોલેન્સ અંગે એક નવી ચચર્િ ઊભી થઈ છે. લોકો આને નારાયણ મૂર્તિ અને સુબ્રમણ્યમના જૂના નિવેદનો સાથે જોડી રહ્યા છે. નિલેશ શાહે આ લખ્યું છે કારણ કે વિશ્વની મોટી વસ્તી અને મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા વપરાશકતર્ઓિ પણ ઈલોન મસ્કને એક આદર્શ અને પ્રેરણા સ્ત્રોત તરીકે જુએ છે.
નિલેશ શાહની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે તેમને મજાકમાં લખ્યું કે સપ્તાહના અંતે કામ કરીને માતા-પિતાની જવાબદારીઓ નિભાવવી મુશ્કેલ છે. જેમની પાસે આયા અને ખાનગી જેટ નથી, તેમના માટે આ ચોક્કસપણે મુશ્કેલ કાર્ય છે.
આ પહેલા ઇન્ફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિએ પણ ભારતના વિકાસ માટે અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની સલાહ આપી હતી. તે પછી એલ એન્ડ ટીના ચેરમેન સુબ્રમણ્યમે કહ્યું હતું કે અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જરૂરી છે. ત્યારે એ બંનેની ઘણી ટીકા થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application