આના કરતા તો લોકલ એસટી બસ સ્ટેશન સારું...રાજકોટનું હીરાસર એરપોર્ટ ઇન્ટરનેશનલ કહેવા પૂરતું જ, ઇલેક્ટ્રિસિટી સપ્લાયના ધાંધિયા, મુસાફરો ત્રાહિમામ

  • May 28, 2025 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના પ્રથમ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુવિધાના નામે મીંડુ છે. ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું . પરંતુ સંચાલન કરનારાઓને કોઈ જવાબદારી જ ન લેવી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ઇન્ટરનેશન એરપોર્ટ માત્ર નામ માત્રનું છે. ઇન્ટરનેશલ ફ્લાઈટ આપવાની વાત તો દૂર રહી પણ સુવિધાના નામે પણ મીંડુ છે. જેનાથી મુસાફરો પણ ત્રાહિમામ પોકરી ઉઠ્યા છે. ઇલેક્ટ્રિસિટીના ધાંધિયા એટલા છે કે, મુસાફરો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. આના કરતા તો વધુ સુવિધા લોકો એસટી બસ સ્ટેશનમાં મળી રહે છે.


એરલાઇન્સના ચેકિંગ કાઉન્ટર ઉપર સિસ્ટમો ડાઉન થઈ જાય છે 

આજે રાજકોટથી મુંબઈ જતી વહેલી સવારની એર ઇન્ડિયાની ફ્લાઈટમાં પેસેન્જર હેરાન પરેશાન થયા હતા. 21મી સદીમાં મેન્યુઅલી ચેકિંગ કરી બોર્ડિંગ પાસ ઇસ્યુ કરાયા હતા. રાજકોટ હીરાસર એરપોર્ટ પર ઈલેક્ટ્રિક સપ્લાયમાં અવરોધના કારણે અવારનવાર લાઈટો જતી રહે છે. એરલાઇન્સના ચેકિંગ કાઉન્ટર ઉપર સિસ્ટમો ડાઉન થઈ જાય છે અને ચેકિંગ કિયોસ્ક કામ કરતા બંધ થઈ જાય છે. તેમજ એસી પણ કામ કરતા નથી. 


મુસાફરો પાસે ફરિયાદ કરવા હવે સોશિયલ મીડિયા જ એક ઉપાય

આમ, ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બેઝિક સુવિધાઓનો પણ અભાવ છેલ્લા એક અઠવાડિયાથી ઈલેક્ટ્રિક સપ્લાયનો પ્રશ્ન પરેશાન કરતો હોવા છતાં એરપોર્ટ ઓથોરિટી ભર નિંદ્રામાં છે. પેસેન્જર પાસે ફરિયાદ કરવા અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા સિવાય કોઈ વિશેષ ઉપાય રહ્યો નથી. ત્યારે તંત્રનું કામ આ મળવા શહેરના પ્રતિનિધિઓ આગળ આવશે કે કેમ? 


કલેક્ટરે એરપોર્ટ ઓથોરિટીના જવાબદાર અધિકારીઓનો કાન આમળ્યો હતો પણ...

તાજેતરમાં જિલ્લા સંકલન સમિતિ ફરિયાદ સમિતિમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફતે મળેલી ફરિયાદ સંદર્ભે જિલ્લા કલેક્ટરે એરપોર્ટ ઓથોરિટીના જવાબદાર અધિકારીઓનો કાન આમળ્યો હતો. પરંતુ હજુ તેમાં કોઈ સુધારો થયો હોવાનું જણાતું નથી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જનરેટરો વસાવવામાં આવ્યા છે પણ તે જરૂરી પાવર સપ્લાય પૂરી પાડી શકે તેટલી કેપેસિટી ધરાવતા ન હોય તેવું જાણવા મળ્યું છે


અગાઉ પાણીના ધાંધિયા થયા હતા

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 326 કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા નવા ટર્મિનલનુ 9 ફેબ્રુઆરી, 2025ના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે અસુવિધાઓની ભરમાર છે. બે મહિના પહેલા. એપોર્ટમાં પાણીની પાઇપલાઇન તૂટી જતા મુસાફરો માટે વોશરૂમ અને પીવાનું પાણી બંધ થઈ ગયું હતું અને તેને કારણે અનેક હવાઈ મુસાફરોએ પોતાનો ઉગ્ર રોષ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો હતો. જોકે બાદમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાઇપલાઇનનું રીપેરીંગ કરવામાં આવ્યું હતુ અને બાદમા પીવાનું પાણી અને વોશરૂમમાં પાણી શરૂ થયું હતુ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application