૧૨૩૭ સભ્યો કરશે મતદાન : ૨૫ ફોર્મનું વિતરણ
જામનગરના બાર એસો.ની આગામી તા.૧૫ ના રોજ ચૂંટણી યોજાનાર છે. પ્રમુખ સહિતના પ્રતિષ્ઠિત પદો માટે ઉમેદવારીપત્રો રજૂ થઈ રહ્યા છે. શુક્રવારે તેની ચકાસણી પછી આખરી ઉમેદવારોની યાદી જાહેર થશે. મંડળના ૧૨૩૭ સભ્યો પ્રમુખ સહિતના પદ માટે મતદાન કરશે. વર્તમાન પ્રમુખ નવ વખત પ્રમુખપદે ચૂંટાયા પછી આ વખતે પણ પ્રમુખપદ માટે ફોર્મ રજૂ કરી ચૂક્યા છે.
જામનગરના બાર એસો.ના પ્રમુખ સહિતના પદો માટે આગામી તા.૧૫ ડિસેમ્બરના દિને.ચૂંટણી યોજાવાની છે તે માટે ઉમેદવારી પત્રો ઈસ્યુ કરવામાં આવ્યા પછી શનિવારે જે ઉમેદવારો પોતાની દાવેદારી પરત ખેંચશે તે પછી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બનશે. હાલમાં પ્રમુખપદ સહિતના હોદ્દાઓ માટે ૨૫ ફોર્મ ભરાયાં છે.
જામનગરના વકીલમંડળ દ્વારા ચાલુ મહિનાના પ્રથમદિને મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવ્યા પછી અને તેમાં નવા મતદારોને જોડવાની પ્રક્રિયા કરવામાં આવ્યા પછી મંગળવારે આખરી મતદારયાદી પ્રસિદ્ધ થઈ છે. હાલમાં જામનગરના વકીલમંડળમાં ૧૨૩૭ સભ્યો નોંધાયેલા છે. મતદારયાદી પ્રસિદ્ધ થયા પછી ઉમેદવારી માટે ફોર્મ ઇસ્યુ કરવામાં આવતા આજ સુધીમાં કુલ ૨૫ ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે.
છેલ્લા નવ વખતથી પ્રમુખપદે ચૂંટાઈ આવતા એડવોકેટ ભરતભાઈ સુવા તેમજ એડવોકેટ નયન મણિયારે પ્રમુખપદ માટે દાવેદારી કરી છે. તે સિવાયના ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી, લાઈબ્રેરી મંત્રી તેમજ કારોબારી સભ્યો સહિતના પદો માટે પણ ઉમેદવારી કરવામાં આવી રહી છે. તા.૮ નાં ફોર્મ ની ચકાસણી રાખવામાં આવી છે.
તે પછી જે કોઈ ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચવા ઈચ્છતા હોય તેઓને બપોરના બે વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. તેના પછી શનિવારે બાકી રહેલા ઉમેદવારોની યાદી જાહેર થશે. અને આગામી શુક્રવારે સવારના ૦૯-૩૦ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી જામનગરના વકીલ મંડળનાં બેઠક હોલ મા મતદાન રાખવામાં આવ્યું છે. ચૂંટણીમાં કમિશનર તરીકે એડવોકેટ બી. ડી. દેસાઈ તથા મિહીર નંદા, કે. ડી. વડગામા સેવા આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech