જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ અને જિલ્લા તાલુકા પંચાયતોમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓ ગત તારીખ 16 ફેબ્રુઆરીના રોજ યોજાયા પછી હવે બીજા તબક્કામાં લાંબા સમયથી ચૂંટણી નથી યોજાઈ તેવી 4,000 થી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવા માટેની તૈયારી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા દરેક જિલ્લા કલેકટરોને પરિપત્ર મોકલીને પોતાના જિલ્લામાં વિસર્જિત, વિભાજિત અને વિલીનીકરણ થયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા કેટલી છે? તેના નામ સહિતની પૂરેપૂરી વિગતો તાત્કાલિક આયોગને મોકલી આપવા માટે જણાવાયું છે.
4000 થી વધુ ગ્રામ પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી ચૂંટણી થઈ નથી. આ તમામ ગ્રામ પંચાયતોમાં નગરપાલિકાઓની ચૂંટણી સાથે જ ઇલેક્શન થવાના હતા. પરંતુ સરકાર તરફથી આ અંગેની પૂરી વિગતો આયોગને નિર્ધારિત સમયમાં પૂરી પાડવામાં નહીં આવતા ગ્રામ પંચાયતોને સાઈડમાં રાખી બાકીની ચૂંટણીઓ પૂરી કરવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં આ ચૂંટણીઓ પૂરી થયા પછી હવે ત્યાં પ્રમુખોની નિમણૂકો માટેની ગતિવિધિઓ શરૂ થઈ છે તો બીજી તરફ આયોગે વિસર્જિત, વિભાજિત અને વિલીનીકરણ થયેલી ગ્રામ પંચાયતો તથા 4000 જેટલી જૂની ગ્રામ પંચાયતોમાં ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
નગરપાલિકાઓ, નગર પંચાયતો, મહાનગરપાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતોની ચૂંટણી તથા પેટા ચૂંટણીમાં ભાજપનો કેસરિયો છવાઈ ગયા પછી હવે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શક્ય હોય ત્યાં સુધી ઇલેક્શનના બદલે સિલેક્શન એટલે કે સમરસની દિશામાં ભાજપ આગળ વધી રહ્યું હોવાનું જાણવા મળે છે. જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ન થાય અને સમરસ પંચાયત બને ત્યાં સરકાર તરફથી જુદા જુદા વિકાસ કામો માટે વધારાની લાખો રૂપિયાની ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવાથી ગ્રામ પંચાયતોમાંથી મોટાભાગની સમરસ થવાની શક્યતા વધુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationMI vs GT મેચમાં હાર્દિક પંડ્યા અને સાઈ કિશોર વચ્ચે થઈ હતી લડાઈ, જાણો સાઈ કિશોરે શું કહ્યું
March 30, 2025 02:39 PMઓડિશામાં મોટો રેલ અકસ્માત, કામાખ્યા એક્સપ્રેસના 11 એસી કોચ પાટા પરથી ઉતર્યા
March 30, 2025 02:28 PMબીજાપુરમાં 50 માઓવાદીઓએ શરણાગતિ સ્વીકારી, 68 લાખનું ઇનામ ધરાવતા માઓવાદીઓનો પણ સમાવેશ
March 30, 2025 01:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech