જામનગરના વાલસુરાના વૃઘ્ધનું બેભાન અવસ્થામાં મૃત્યુ

  • September 19, 2023 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના આઇએનએસ વાલસુરા કવાર્ટરમાં શ્ર્વાસ ચડવાથી અચાનક બેભાન થઇ જતા વૃઘ્ધનું સારવારમાં મૃત્યુ નિપજયું છે, પોલીસમાં જાણ કરાતા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.


મુળ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ગામના વતની અને હાલ જામનગરના આઇએનએસ વાલસુરા કવાર્ટર નં. પી-153912 ખાતે રહેતા બંદા ઉમામહેશ્ર્વરા રાય (ઉ.વ.71) નામના વૃઘ્ધને ગઇકાલે સવારના સુમારે શ્ર્વાસ ચડતા અને અચાનક બેભાન થઇ જતા જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા  હતા, જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે આઇએનએસ વાલસુરામાં રહેતા કર્મચારી ક્રિષ્ના શ્યામલ રાય દ્વારા બેડી મરીન પોલીસમાં જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application