જામનગરમાં દારુ પીવા બાબતે પુત્રએ ઠપકો આપતા વૃઘ્ધનો આપઘાત

  • May 19, 2023 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મારુતીનગરમાં અગમ્ય કારણસર યુવકનો ગળાફાંસો

જામનગરના રામેશ્ર્વરનગર, માટેલચોકમાં વૃઘ્ધને દારુ પીવા બાબતે પુત્રએ ઠપકો આપતા મનમાં લાગી આવવાથી ઝેરી દવા પી મોત મીઠું કરી લીધુ હતું, જયારે મારુતીનગરમાં કોઇ અગમ્ય કારણસર યુવાને ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લીધી હતી.
જામનગરના રામેશ્ર્વરનગર, માટેલચોકમાં રહેતા હિતેશકુમાર કેશવલાલ પાણખાણીયા (ઉ.વ.૫૦) નામના વૃઘ્ધને દારુ પીવા બાબતે તેમના પુત્રએ ઠપકો આપતા મનમાં લાગી આવતા ગત તા. ૧૬ના રોજ કોઇ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે ગીતાબેન હિતેશભાઇ દ્વારા સીટી-બીમાં જાણ કરવામાં આવી હતી.
બીજા બનાવમાં જામનગરના મારુતીનગર ખાતે રહેતા ભરતસિંહ જગમલસિંહ જાડેજા (ઉ.વ.૩૦) નામના યુવાને કોઇ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ લેતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે ઉલાસબા જાડેજા દ્વારા સીટી-સીમાં જાણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application