મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ઉજવણી: અમન-શાંતિ માટે દુઆ

  • April 22, 2023 06:07 PM 

પવિત્ર રમજાન માસ પૂર્ણ થતાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ઈદ ઉલ ફિત્રની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જિદોને રોશનીથી શણગારવામાં આવી હતી. આજે સવારથી મસ્જિદોમાં નમાજ એ તરાબીહ અદા કરાઈ હતી. તેમજ નમાજ એ શબીના પાઠવામાં આવી હતી.
​​​​​​​

જેમાં હાફિજ સાહેબોએ બે રાત્રીમાં નમાજે તરાબીહમાં કુરાન શરીફની તિલાવત કરી હતી. શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ નમાજ પઢી વિશ્ર્વમાં અમન અને શાંતિ માટે પરવરદીગાર પાસે દુઆએ ખેર કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં કમિટીઓ દ્વારા ઈફતીયાર પાર્ટી, આમ ન્યાઝ, સલામી જલસા, ગીત સંગીત સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં તેમજ હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એક બીજાને ભેટી અને મુબારક બાદી આપી હતી. શહેરમાં સવારથી જ ઉજવણીનો માહોલ છવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application