મીઠા લીમડાનાં પાંદડા ભારતીય રસોડાનો આવશ્યક ભાગ બની ગયા છે. પહેલા તેનો મોટાભાગે દક્ષિણ ભારતમાં ઉપયોગ થતો હતો, પરંતુ હવે તેનો ઉપયોગ ભારતના દરેક ખૂણામાં થાય છે. તેનાથી ખાવાનો સ્વાદ તો વધે જ છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ મીઠા લીમડાના લીલા પાંદડા અનેક ગુણોથી ભરપૂર છે.
આયુર્વેદ નિષ્ણાંત ડૉ. કહે છે કે દરરોજ તમારા આહારમાં ઓછામાં ઓછા 7 કે 8 કઢી પત્તાનો સમાવેશ કરવો જોઈએ. જો તેને શાકભાજીમાં ઉમેરીને ખાવાનું પસંદ ન હોય તો તેને કાચા પણ ખાઈ શકો છો અથવા તેને પાણીમાં ઉકાળીને પી શકો છો. આવો જાણીએ તેને ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે શું ફાયદા થાય છે.
પાચનમાં સુધારો
નિષ્ણાંતોનું કહેવું છે કે જે લોકોને પાચન સંબંધી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તેમણે મીઠા લીમડાના પાંદડા ચોક્કસ ખાવા જોઈએ. આનાથી પાચનતંત્ર સારું કામ કરે છે. મીઠા લીમડાના પાંદડા ખાવાથી ગેસ, પેટનો સોજો અને અપચો ઓછો થાય છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે
મીઠા લીમડાના પાંદડામાં એન્ટી-ફંગલ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઓક્સિડન્ટ જેવા ઘણા ગુણો જોવા મળે છે. આ તમામ તત્વો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને આપણને રોગોથી બચાવે છે. આ ઉપરાંત તેઓ ચેપથી બચાવવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ફ્રી રેડિકલ સામે લડવામાં મદદરૂપ છે.
હૃદય સારું રહેશે
મીઠા લીમડાના પાંદડામાં પણ ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. આ સિવાય તેઓ હૃદય રોગના જોખમને ઘટાડવાનું કામ કરે છે. મીઠા લીમડાના પાંદડામાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેના કારણે બ્લડ પ્રેશરને લગતી કોઈ સમસ્યા નથી થતી.
ત્વચા અને વાળની સંભાળ
મીઠા લીમડાના પાંદડામાં વિટામિન A, B, C અને E હોય છે. આ બધા તત્વો આપણા લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. આનાથી ત્વચા સુધરે છે અને વાળ પણ સ્વસ્થ બને છે જો તમે ખીલ, પિમ્પલ્સ અને ડાઘ વગેરેથી પરેશાન છો તો તમારે નિયમિત રીતે મીઠા લીમડાના પાંદડા ખાવા જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech