ચાલતી વખતે ઈયરફોન પહેરવું લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે અને તેના કારણે દરરોજ અકસ્માતના અહેવાલો સામે આવી રહ્યા છે. આમ છતાં લોકો ચાલતી વખતે ઈયરફોનનો ઉપયોગ કરી રહ્યા છે. હવે આવો જ એક કિસ્સો કાનપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં બે મજૂરો માટે ઈયરફોન જીવલેણ સાબિત થયા છે.
મળતી માહિતી મુજબ, આજે સવારે કાનપુરના રેલવે સ્ટેશન પાસે પ્રતાપગઢ-કાનપુર ઇન્ટરસિટી એક્સપ્રેસની ટક્કરથી બે મજૂરોના મોત થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટના સમયે મજૂરો કાનમાં ઈયરફોન લગાવીને રેલવે ટ્રેક પર ચાલી રહ્યા હતા.
કામદારો લગાવવા જતા હતા ટીન શેડ
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના ગૌરીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જ્યાં સીતાપુર જિલ્લાના પ્રમોદ યાદવ અને લખીમપુરના રોહિત વિશ્વકર્મા ટ્રેનની અડફેટે આવી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ બંને ગૌરીગંજના આંધી ગામમાં નિર્માણાધીન અનાજના ગોદામમાં ટીન શેડ લગાવવા જઈ રહ્યા હતા.
એરિયા ઓફિસરે કહ્યું કે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech