ઇડી આજે સોરેનની પૂછપરછ કરશે: ધરપકડ થશે કે કેમ?

  • January 31, 2024 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝારખંડના મુખ્યમંત્રી હેમતં સોરેનને કેન્દ્રીય એજન્સી ઇડી શોધી રહી હતી. સોરેન છેલ્લા કેટલાક સમયથી ગુમ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. એવામાં અચાનક જ તેઓ રાંચી પહોંચ્યા હતા અને પક્ષ તેમજ સરકારની ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. દરમિયાન ઇડી દ્રારા હવે સોરેનની આજે પૂછપરછ કરવામાં આવશે. સોરેન દિલ્હીમાં હતા યાંથી ૧૨૫૦ કિમીની મુસાફરી કરીને તેઓ રાંચી પહોંચ્યા હતા. સોરેનની ગમે ત્યારે ધરપકડ થાય તેવી શકયતાઓ વચ્ચે રાયમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. યારે રાયપાલે મુખ્ય સચિવ અને ડીજીપી સાથે બેઠક યોજી હતી.

મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને સોરેને રાંચીમાં બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, જે બાદ પત્રકારોએ તેમને સવાલ કર્યેા હતો કે તેઓ આટલા સમય સુધી કયા હતા? જેના જવાબમાં સોરેને કહ્યું હતું કે હત્પં તમારા હ્યદયમાં હતો. તેમણે ગાંધીજીને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે રાષ્ટ્ર્રપિતા ગાંધીજીની વિચારધારાને અનુસરવા માટે આપણે બધા કટિબદ્ધ છીએ.

દિલ્હીથી રાંચી પહોંચ્યા બાદ સોરેને મુખ્યમંત્રી નિવાસ પર ગઠબંધનમાં સામેલ તમામ ધારાસભ્યોની સાથે બેઠક યોજી હતી અને હાલમાં જે રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે તેના પર ચર્ચા કરી હતી. આ પહેલા ગઈકાલે રાયપાલ સીપી રાધાકૃષ્ણને રાયમાં કાયદો અને વ્યવસ્થા મુદ્દે ચિંતા વ્યકત કરી હતી અને મુખ્ય સચિવ તેમજ રાયના ડીજીપી અજય કુમારને રાજભવન બોલાવ્યા હતા. જે દરમિયાન સમગ્ર સ્થિતિની જાણકારી મેળવી હતી. ડીજીપીએ પીટીઆઇને કહ્યું હતું કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર ઝારખંડમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુરક્ષા વધારવામાં આવી છે. વધારાના ૭૦૦૦ પોલીસ જવાનો તૈનાત કરાયા છે.

રાંચીના કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધિત આદેશો જારી કરાયા છે. જેમાં મુખ્યમંત્રી આવાસ, રાજભવન અને ઇડીની ઓફિસનો પણ સમાવેશ થાય છે. ઝારખંડની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને એવા દાવા થઇ રહ્યા છે કે હોમતં સોરેનની ઇડી ગમે ત્યારે ધરપકડ કરી શકે છે. અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે જો સોરેનની ધરપકડ કરાય તો તેમના સ્થાને તેમના પત્ની કલ્પના સોરેન મુખ્યમંત્રી બની શકે છે. સોરેને મુખ્યમંત્રી આવાસ પર જે બેઠક બોલાવી હતી તેમાં કલ્પના પણ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હેમતં સોરેન ૨૭મી જાન્યુઆરીની રાતથી ગાયબ હતા, તેઓ દિલ્હી જવા રવાના થઇ ગયા હતા યારે બીજી તરફ ઇડી તેમને શોધી રહી હતી. જોકે તેઓ દિલ્હીના કાર્યક્રમો પડતા મુકીને ઝારખડં પરત આવી ગયા છે. સોરેને રવિવારે ઇડીને ઇમેલ કર્યેા હતો અને કહ્યું હતું કે ઝારખડં સરકારને અસર પહોંચાડવા માટે તમારી કાર્યવાહી રાજકીય એજન્ડાથી પ્રેરિત છે. સાથે જ તેઓ ૩૧મીએ રાંચીમાં ઇડી સમક્ષ હાજર થઇને દરેક સવાલોનો જવાબ આપવા માટે તૈયાર છે તેવો દાવો પણ આ ઇમેલમાં કર્યેા હતો. કથિત જમીન કૌભાંડમાં ઇડી આજે સોરેનની પૂછપરછ કરશે. દરમિયાન ઝારખંડમાં રાજકીય પક્ષો સામસામે આવી ગયા છે. ભાજપે દાવો કર્યેા હતો કે સોરેને ખૂદને ગાયબ કરી દીધા હતા યારે કોંગ્રેસ અને ઝારખડં મૂકિત મોરચાએ કહ્યું હતું કે ભાજપ અફવાઓ ફેલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application