દરરોજ હજારો લોકો પ્રસાદીનો લ્હાવો લ્યે છે: સૌથી વધુ માણસો સેવામાં ખડેપગે: માણેક પરિવારના ચાર લોકો સેવાયજ્ઞમાં ઉપસ્થિત...
હાલમાં પ્રયાગરાજ ખાતે ધર્મસંસ્કૃતિ આદ્યાત્મિકતા અને એકતાના પ્રતિકસમા મહાકુંભનો તા. 13/01/ર0રપ થી મહાપ્રારંભ થયેલ છે અને મહાકુંભ સતત 4પ દિવસ સુધી પ્રયાગરાજમાં યોજાઇ રહ્યો છે અને 4પ કરોડથી વધુ ભાવિકો આ કુંભમાં ડુબકી લગાવવા માટે દેશ વિદેશથી કરોડો લોકો 26 ફેબ્રુઆરી મહા શિવરાત્રિ સુધી પ્રયાગરાજમાં ભાવિકો આવશે અને તેમના પાપોમાંથી મુક્તિ મેળવવા અને મોક્ષ મેળવવા માટે ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી અને શ્રીપ્રા નદીઓના પવિત્ર જળમાં સ્નાન કરે છે.
મહાકુંભનું સંગઠ્ઠન ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષ ગણતરીઓ અને ઐતિહાસિક પરંપરાઓ પર આધારીત છે, તે માત્ર એક ધાર્મિક ત્યોહાર નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, આઘ્યાત્મિકતા અને એકતાનું પ્રતિક પણ છે, જે દેશ-વિદેશના ભક્તોને આકર્ષે છે, તેમ પબુભા માણેકે ભાટીયાના યુવા પ્રેસ પ્રતિનિધિ નિલેશ કાનાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું કે, મારા પૂ. પિતા વિરમભા આશાભા માણેકે વર્ષ 1990 થી દર વખતે મહાકુંભ ભંડારો રાખી ચા-પાણી, નાસ્તો અને બે ટાઇમ ભોજન, પ્રસાદી સહિતની વ્યવસ્થા અમારા પરિવાર દ્વારા કુંભમેળામાં છેલ્લા 3પ વર્ષથી અવિરતપણે સુવિધા સેવા ઉભી કરવામાં આવે છે. જે સીલોસીલો મે તથા મારા પુત્રો અને પરિવારજનોએ ચાલુ રાખેલ છે અને હજુ પણ વર્ષો સુધી આ સેવાયજ્ઞ ચાલુ રાખી શકે તેવા આશીવર્દિ ભગવાન દ્વારકાધીશ અને શિવ અમારા પર પરિવાર આપતા અને માત્ર નીમીત બની અને આ સેવા ચાલુ રાખી અને પૂણ્યનું ભાથું બાંધવાનો અવસર અમારા પરિવારને મળતો રહે એ જ માત્ર હોશ સાથે ભગવાન એમને આવા સત્કાર્યો સતત કરાવતા રહે.
આ વર્ષે વિરમભા આશાભા રાજયોગ સાધના કેન્દ્ર શ્રી જગતનાથ દેવસ્થાન સમિતિ સ્વર્ણ તીર્થ વરવાળા દ્વારકા દ્વારા અમે અખાડો ઉભો કરી અને તા. 13/1 થી ર6/ર સુધી ભંડારો ચાલુ રાખવામાં આવેલ છે, જે ભંડારામાં મારા પરિવારના ચાર સભ્ય લોકો સેવાયજ્ઞમાં પહેલા દિવસથી ઉપસ્થિત છે, તેમજ સો જેટલા માણસોની બે ટીમ પણ સેવા આપી રહી છે. આ ઉપરાંત કંદોઇ, રસોયો, હેલ્પરો અને જરી વાહનો, ડ્રાઇવરો સહિતનો સ્ટાફ મોકલી આપેલ છે અને ભંડારા સ્થળે હજારો લોકો ચા, નાસ્તો, ભોજન, પ્રસાદી સહિતની સેવાનો લાભ લઇ રહ્યા છે, તે મારા માટે ધન્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાના પગલે જામનગરમાં આક્રોશ
April 23, 2025 05:51 PMરાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત, કલેક્ટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવ્યા
April 23, 2025 05:20 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech