દ્વારકા જગત મંદિરે વાવાઝોડાના પગલે બે ઘ્વજા ફરકાવાઇ

  • June 13, 2023 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સભંવિત વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકાના જગતમંદિરે વહીવટી દેવસ્થાન સમિતિ દ્વારા આજે બે ઘ્વજા ફરકાવવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાના તકેદારીના પગલા લેવામાં આવ્યા છે, ગોમતી ઘાટ, ભડકેશ્ર્વર મહાદેવ તેમજ દરિયાકિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
**
બિપરજોય વાવાઝોડાના પગલે જગત્ મંદિરે આજે ધ્વજારોહણ નહીં થાય
દ્વારકાધીશ મંદિર ખાતે રોજ ભકતજનો દ્વારા ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કરવામાં આવે છે, પરંતુ બિપરજોય વાવાઝોડાના પગલે ભકતજનોની સુરક્ષાની દૃષ્ટિએ આજે ધ્વજા રોહણ નહીં કરવાનો નર્ણય કરવામાં આવ્યો છે તેમજ ભકતજનો દ્વારા ફકત દ્વારકાધીશને માત્ર પ્રસાદરુપે ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application