સંતશ્રી બાલક યોગેશ્ર્વરદાસજી મહારાજના અઘ્યક્ષસ્થાને પબુભા માણેક દ્વારા આયોજીત 108 કુંડી અતિવિષ્ણુ મહાયજ્ઞ: 11 દિવસના વિવિધ કાર્યક્રમોનું આયોજન: સમગ્ર દેશમાંથી સંતો-મહંતો તેમજ આગેવાનો લેશે દર્શનનો લાભ
તીર્થભૂમિ દ્વારકામાં મોરબી હાઉસ ગ્રાઉન્ડ પર તા. ર7/03/ર0રપ થી આયોજીત તેમજ તા. 06/04/ર0રપ સુધી દેશના વિવિધ શહીદોની સ્મૃતિમાં 11 દિવસ 108 કુંડી મહાવિષ્ણુ યાગ યજ્ઞનું ભવ્ય આયોજન સંત શ્રી બાલક યોગેશ્ર્વરદાસજી મહારાજ (બદરીનાથ ધામ) ના અઘ્યક્ષ સ્થાને યોજાઇ રહ્યો છે.
આ યજ્ઞના આયોજક શિવભક્ત-ગૌભક્ત દ્વારકા-કલ્યાણપુરના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા સુંદર વ્યવસ્થા વિશાળ જગ્યામાં પૂરી કરવામાં આવી છે, જેમાં પબુભાએ પ0 થી વધુ કાર્યકરોની એક ટીમ અલગ અલગ કામ માટે સ્ટેન્ડ બાય રાખી છે, પબુભાએ જણાવેલ કે આ અતિવિષ્ણુ મહાયજ્ઞનું સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે, તે માટે દ્વારકા-કલ્યાણપુર સહિત સમગ્ર દેશમાંથી આવતા દરેક યાત્રિકોએ આ યજ્ઞની પરિક્રમાનો અને બપોર તેમજ સાંજે પ્રભુ પ્રસાદીનો ખાસ લાભ લેવા ધર્મપ્રેમી લોકોને અપીલ સાથે આહવાન કર્યું છે.
સંત શ્રી બાલક યોગેશ્ર્વરદાસજી એ ભાટીયાના યુવા સેવાભાવી આજકાલના પત્રકાર નિલેશ કાનાણી સાથેની બ વાતમાં જણાવેલ કે આ યજ્ઞ છેલ્લા રર વર્ષથી અલગ અલગ જગ્યાએ વીર શહીદોની સ્મૃતિમાં યોજાય છે, ત્યારે ગત તા. ર7/03 થી દ્વારકા ખાતે 11 દિવસીય 108 કુંડી અતિ વિષ્ણુ મહાયજ્ઞ 44 મો મહાયજ્ઞ છે, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક પણ આ મહાયજ્ઞમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.
આ યજ્ઞમાં સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ દેશના અલગ અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સંતો, મહંતો, સાધુઓ 11 દિવસ દરમ્યાન અહીં પધાયર્િ છે અને લોકો અને તેમના દર્શનનો લાભ મળી ગયો છે, તેમજ ત્રણ દિવસથી આ યજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો યજ્ઞનો લ્હાવો લઇ રહ્યા છે, વધુમાં જણાવ્યું કે, ભારતના અમર વીર શહીદોની પૂણ્ય સ્મૃતિમાં આ પ્રકારના યજ્ઞ આગામી વર્ષોમાં પણ અવિરતપણે માર્ગદર્શન પ્રમાણે સમયાંતરે યોજાતા રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech