અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી, આજે સૌરાષ્ટ્ર કચ્છમાં દશેરા પર્વની ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નવ નવ રાત્રિ સુધીમાં જગદંબાની આરાધના સાથે પ્રાચીન અને અવર્ચિીન રાસની રમઝટ બાદ આજે સવારે ગાંઠિયા જલેબીના તડાકા સાથે અને સાંજે રાવણ દહન સાથે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.વિજયાદશમી એટલે વણ જોયું મુહૂર્ત.. આજે શુભ કાર્યોની વણઝાર થઈ છે. ગૃહ પ્રવેશ, નવા જમીન કે મકાનની ખરીદી, વાહનોની ખરીદી સાથે આજે પીળી ધાતુ એટલે કે સોનાના દાગીનાની ખરીદીનું શુભ દિવસ હોવાથી લોકોએ પણ આ શુકન સાચવ્યું હતું.
વહેલી સવારથી શોરૂમ પર વાહનો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, સોના ચાંદીના દાગીનાની ખરીદી માટે લોકોનો ઘસારો જોવા મળ્યો હતો.દશેરાના દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવે છે આજે ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત વસ્ત્રો પરિધાન સાથે વિશાળ શોભા યાત્રા અને ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીમાં નવ દિવસ સુધીમાં આદ્યશક્તિની આરાધના કરી હતી. આજે પણ દશેરાના દિવસે ગરબા લઈ ત્યારબાદ ગરબીની બાળાઓને નાની વિતરણ કરવામાં આવશે. જ્યારે અવર્ચિીન રાસમાં નવ દિવસ સુધી ગરબે ઘૂમી પ્રિન્સ અને પ્રિન્સેસ બનેલા ખેલૈયાઓ માટે આજે મેગા ફાઈનલ સાથે કિંગ અને ક્વીન નું બિરુદ સાથે લાખોના ઇનામોની વણઝાર મેળવશે.
ઉત્સવ પ્રિય સૌરાષ્ટ્રમાં ગઈકાલે રાત્રે ગરબા ની રમઝટ ખેલૈયાઓએ બોલાવ્યા બાદ મોડી રાત્રે ગાંઠિયા અને જલેબી નો તડાકો બોલાવી દશેરાની ઉજવણી કરી હતી.રાજકોટમાં આજે ગુજરાતના સૌથી મોટા રાવણનું દહન કરવામાં આવશે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાનમાં સૌથી ઊંચા રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું છે.ફટાકડાની આતશબાજી સાથે રાવણ દહન કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech