પડધરીમાં આવેલા બ્રિજની મેન્ટેનન્સ કામગીરીને કારણે રેલ વ્યવહાર ને અસર...

  • June 07, 2024 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પડધરીમાં આવેલા બ્રિજની મેન્ટેનન્સ કામગીરીને કારણે રેલ વ્યવહાર ને અસર...

       રાજકોટ ડિવિઝનમાં પડધરી ખાતે આવેલા બ્રિજ નંબર 263ની મેન્ટેનન્સ ની કામગીરીને કારણે 7 જૂન થી 9 જૂન, 2024 સુધી રેલ વ્યવહાર ને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

1)  7 જૂન અને 8 જૂન 2024 ના રોજ, ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ ભાવનગર થી ઉપડીને સુરેન્દ્રનગર સ્ટેશન સુધી જશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

2) 8 જૂન અને 9 જૂન, 2024 ના રોજ, ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઓખાને બદલે સુરેન્દ્રનગર થી શરૂ થશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

3) 7 જૂન અને 8 જૂન 2024 ના રોજ, ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 09480 ઓખા-રાજકોટ લોકલ ઓખા થી ઉપડીને હાપા સ્ટેશન સુધી જશે. આ રીતે આ ટ્રેન હાપા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

4) 7 જૂન અને 8 જૂન, 2024 ના રોજ, ટ્રેન નંબર 09479 રાજકોટ-ઓખા લોકલ રાજકોટ ને બદલે હાપા સ્ટેશન થી શરૂ થશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

       રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application