ભંગાર હાલતમાં ફેરવાયેલા રોડને લીધે બોખીરાવાસીઓની મુશ્કેલી વધી

  • October 05, 2024 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના બોખીરા વિસ્તારમાં ભંગાર હાલતમાં ફેરવાયેલા રસ્તાને લીધે લોકોને પારાવાર પરેશાની વેઠવી પડી રહી છે અને તે અંગે માર્ગ અને મકાન વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર જાગ્યુ નથી તેથી લોકઆક્રોશ વધવા પામ્યો છે.
પોરબંદરના બોખીરામાં આવેલા રીલાયન્સ પેટ્રોલપંપથી બોખીરા બસસ્ટેશન થઇને નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીના ઘર તરફ જતો રસ્તો અને બોખીરા બસ સ્ટેશનથી જયુબેલીપુલ તરફ જતો રસ્તો બિસ્માર બન્યો છે અને રસ્તાનું ધોવાણ થયુ છે. આ મુદે વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઇપણ પ્રકારની કાર્યવાહી માટે માર્ગ અને મકાન વિભાગ જાગ્યુ નથી અને માત્ર લુખ્ખા આશ્ર્વાસનો અપાયા છે તથા ચોમાસુ પૂર્ણ થાય તેની રાહ જોવાઇ રહી છે. આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે તે ઉપરાંત સરકારીઅને ખાનગીશાળાઓથી માંડીને ઓલ વેધર પોર્ટ તરફ જતા વાહનોને પણ આ રસ્તો લાગુ પડે છે તેથી ભંગાર હાલતના આ રસ્તા પરથી પસાર થઇને અનેક લોકોના કમરના મણકા ખસી ગયા છે. તંત્ર વહેલીતકે આ બીસ્માર રસ્તાનું સમારકામ કરાવી આપે તે જ‚રી બન્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application