પોરબંદરના બોખીરા વિસ્તારમાં ભંગાર હાલતમાં ફેરવાયેલા રસ્તાને લીધે લોકોને પારાવાર પરેશાની વેઠવી પડી રહી છે અને તે અંગે માર્ગ અને મકાન વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર જાગ્યુ નથી તેથી લોકઆક્રોશ વધવા પામ્યો છે.
પોરબંદરના બોખીરામાં આવેલા રીલાયન્સ પેટ્રોલપંપથી બોખીરા બસસ્ટેશન થઇને નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીના ઘર તરફ જતો રસ્તો અને બોખીરા બસ સ્ટેશનથી જયુબેલીપુલ તરફ જતો રસ્તો બિસ્માર બન્યો છે અને રસ્તાનું ધોવાણ થયુ છે. આ મુદે વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઇપણ પ્રકારની કાર્યવાહી માટે માર્ગ અને મકાન વિભાગ જાગ્યુ નથી અને માત્ર લુખ્ખા આશ્ર્વાસનો અપાયા છે તથા ચોમાસુ પૂર્ણ થાય તેની રાહ જોવાઇ રહી છે. આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે તે ઉપરાંત સરકારીઅને ખાનગીશાળાઓથી માંડીને ઓલ વેધર પોર્ટ તરફ જતા વાહનોને પણ આ રસ્તો લાગુ પડે છે તેથી ભંગાર હાલતના આ રસ્તા પરથી પસાર થઇને અનેક લોકોના કમરના મણકા ખસી ગયા છે. તંત્ર વહેલીતકે આ બીસ્માર રસ્તાનું સમારકામ કરાવી આપે તે જરી બન્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકુખ્યાત શખસ અજય પરસોંડાના મકાન પર બપોરબાદ બુલડોઝર ફેરવી દેવાશે
May 16, 2025 03:23 PMવીમા કંપની મેડી ક્લેઇમમાં કાપેલી રકમ એક માસમાં 9% વ્યાજ સાથે ચૂકવે
May 16, 2025 03:20 PMબીસીજી ચેરમેન દ્વારા તુર્કી, અઝરબૈજાનના પ્રવાસનો બહિષ્કાર કરવા વકીલોને અનુરોધ
May 16, 2025 03:10 PMકેનેડામાં 5 લાખ ડોલરની ખંડણી ન ચૂકવવા બદલ શીખ ઉદ્યોગપતિની ગોળી મારીને હત્યા
May 16, 2025 03:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech