સ્ટ્રેસ અને ખોટી લાઈફસ્ટાઈલના કારણે આજના સમયમાં બીમારીઓ ઝડપથી વધી રહી છે. ડૉક્ટર્સ પણ માને છે કે જો ખોરાક અને પાણી સંબંધિત ૫ સુવર્ણ નિયમોનું પાલન કરવામાં આવે, તો મોટાભાગના રોગોથી બચી શકાય છે.
૧.જમ્યા પછી તરત જ પાણી ન પીવો
જમ્યાના ઓછામાં ઓછા ૩૦ થી ૪૫ મિનિટ પછી જ પાણી પીવું જોઈએ.
ખોરાક ખાધા પછી પેટમાં પાચક અગ્નિ સક્રિય થાય છે. તરત પાણી પીવાથી આ અગ્નિ શાંત થઈ જાય છે, જેથી ખોરાક પચવાને બદલે સડવા લાગે છે અને ગેસ, એસિડિટી તેમજ કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે.
૨. ઊભા રહીને ક્યારેય પાણી ન પીવો
હંમેશા શાંતિથી નીચે બેસીને અને ઘૂંટડે-ઘૂંટડે (સિપ કરીને) પાણી પીવો.
ઊભા રહીને ઝડપથી પાણી પીવાથી તે સીધું પેટના નીચેના ભાગમાં દબાણ સાથે જાય છે. આનાથી શરીરના પ્રવાહીનું સંતુલન બગડે છે અને લાંબા ગાળે સાંધાનો દુખાવો તેમજ કિડનીની સમસ્યાઓ થઈ શકે છે.
૩. વાસી અને અતિશય ઠંડો ખોરાક ન ખાવો
રાંધેલો ખોરાક હંમેશા હૂંફાળો (ગરમ) અને ફ્રેશ હોય ત્યારે જ ખાવો જોઈએ. ફ્રિજનું અતિશય ઠંડુ પાણી કે બરફવાળા પીણાં ન લેવા.
વાસી ખોરાકમાં બેક્ટેરિયા વધવાનું જોખમ રહે છે. જ્યારે અતિશય ઠંડો ખોરાક કે પાણી પીવાથી આંતરડા સંકોચાઈ જાય છે અને પાચનક્રિયા મિશ્ર થઈ જાય છે, જે રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે.
૪. મોસમી અને સ્થાનિક ખોરાક પસંદ કરો
જે ઋતુમાં જે ફળ કે શાકભાજી આવતા હોય તેનું જ સેવન કરો.
કુદરત આપણી આસપાસના વાતાવરણ અને ઋતુ પ્રમાણે શરીરને જરૂરી પોષક તત્વો આપવા માટે જ ચોક્કસ પાક પેદા કરે છે. કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા બિન-મોસમી ખોરાક ખાવાથી શરીરમાં પોષણ મળતું નથી અને એર્લજી કે ઈન્ફેક્શન વધી શકે છે
૫. ભૂખ કરતાં થોડું ઓછું ખાવું
પેટ આખું ભરાઈ જાય ત્યાં સુધી ક્યારેય ન ખાવું. પેટનો ૧/૪ (ચોથો) ભાગ હંમેશા ખાલી રાખવો.
પેટમાં ખોરાકના પાચન માટે હલનચલન થવું જરૂરી છે. જો પેટ ભરાઈ જશે તો પાચક રસો યોગ્ય રીતે ભળી શકશે નહીં, જેથી આળસ, વજન વધવું અને ડાયાબિટીસ કે ફેટી લીવર જેવા લાઈફસ્ટાઈલ રોગોનું જોખમ વધે છે.