આડા સંબંધના કારણે પડધરીના ફતેપર ગામે યુવકની હત્યા કરાઈ

  • May 22, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પડધરીના ફતેપર ગામમાં યુવક પર બે દિવસ પહેલા ધોકા વડે થયેલા હત્પમલામાં ઈજાગ્રસ્ત યુવકનું મૃત્યુ નિપજતાં બનાવ હત્યામાં પલટાયો છે. પડધરી પોલીસે સ્ત્રીપાત્રના ડખ્ખામાં થયેલા હુમલામાં મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. આરોપીને સકંજામાં લેવાયો હોવાનું જાણવા મળે છે.

બનાવની પ્રાથમિક વિગતો મુજબ, પડધરીના ફતેપર ગામે રહેતાં અને ખેતીકામ કરતાં અશ્ર્વિન પરસોતમભાઈ ગજેરા (ઉ.વ.૩૬)ના લ થઈ ગયા હતા પરંતુ, કોઈપણ કારણોસર થોડા સમય પહેલા છૂટાછેેડા થઈ ગયા હતા. યુવક બે દિવસ પહેલા ગામમાં વાડીએ હતો ત્યારે ક્રીપાત્ર સબંધી ત્રણ શખ્સો ધસી આવ્યા હતા અને અશ્ર્વિનના પગ પર ધોકાથી પ્રહાર કર્યા હતા. ત્રણેય ઈજા કરીને નાશી છૂટા હતા. જે–તે સમયે યુવક અને તેના પરિવાર દ્રારા ક્રીપાત્રનો મામલો હોવાથી ફરિયાદ ન નોંધાવવાની અને જરૂર પડશે ત્યારે ફરિયાદ નોંધાવશું તેવું પડધરી પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું.  દરમિયાનમાં ઈજાગ્રસ્ત યુવકની તબીયત લથડતાં તે ગઈકાલે સારવાર અર્થે રાજકોટ લવાયો હતો. યાં તેનું મૃત્યુ નિપયું હતું. હત્પમલાની ઘટના હત્યામાં પલટાઈ હતી. બનાવની જાણ થતાં રાજકોટ રૂરલ એલસીબી, એસઓજીની ટીમ પણ પડધરી ખાતે દોડી ગઈ હતી. પડધરી પોલીસે અશ્ર્વિનના મૃત્યુ સંદર્ભે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. એવું જાણવા મળે છે કે, યુવાનને પગમાં ઈજા થઈ હતી પરંતુ, હત્પમલાને કારણે ગભરાઈ ગયો હોવાથી હૃદય બેસી જતાં મૃત્યુ થયું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application