પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર યાર્ડમાં એન્જિનિયરિંગ કામના કારરે ૮ મે સોમવારના રોજ કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા અનુસાર ૮ મેના રોજ કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે
જેમાં ટ્રેન નં.૦૯૫૭૨ ભાવનગર-સુરેન્દ્રનગર, ટ્રેન નં.૦૮૫૦૩ સુરેન્દ્રનગર-ભાવનગર, ટ્રેન નં.૦૯૩૫૯ બોટાદ-ધ્રાંગધ્રા ડેમુ, ટ્રેન નં.૯૩૬૦ ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ, ટ્રેન નં.૧૯૧૧૯ અમદાવાદ-સોમનાથ ઈન્ટરસિટી, ટ્રેન નં.૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ ઈન્ટરસિટીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ટ્રેન નં.૦૯૫૩૪ ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી વઢવાણ સ્ટેશન સુધી દોડશે જયારે ટ્રેન નં.૦૯૫૨૭ સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેન વઢવાણ સિટી સ્ટેશનથી દોડશે આમ આ ટ્રેન વઢવાણથી શરૂ થઈને ભાવનગર સુધી દોડશે.
એન્જિનિયરિંગ કામના કારણે સુરેન્દ્રનગર સ્ટેશન પર કેટલીક ટ્રેનો મોડી થશે જેમાં તા.૭ના રોજ ટ્રેન નં.૧૨૪૭૬ માતા વૈષ્ણોદેવી કટારા-જામનગર સુપર ફાસ્ટ એકસપ્રેસ માર્ગમાં ૪૦ મિનિટ મોડી થશે જયારે તા.૮ના રોજ ટ્રેન નં.૧૧૪૬૫ સોમનાથ-જબલપુર એકસપ્રેસ ૩૦ મિનિટ મોડી થશે તેમજ ટ્રેન નં.૧૯૨૧૮ વેરાવળ-બાન્દ્રા એકસપ્રેસ ૩૦ મિનિટ અને ટ્રેન નં.૨૨૯૪૬ ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલ ૫૦ મિનિટ મોડી થશે આ ઉપરાંત ટ્રેન નં.૨૨૯૫૯ વડોદરા-જામનગર ઈન્ટરસિટી એકસપ્રેસ ૪૦ મિનિટ તથા ૦૯૫૭૫ રાજકોટ-મહબુબનગર એકસપ્રેસ ૩૦ મિનિટ મોડી થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech