લોકસભાની ગત ચૂંટણી વખતે રાજકોટ સંસદીય મતવિસ્તારમાં ૮૨૨ જેટલા સંવેદનશીલ મતદાન મથકો હતા પરંતુ આ વખતે ક્ષત્રિય સમાજના આંદોલન સહિતના કારણોસર વધુ ૨૧૦ જેટલા મતદાન મથકોને સંવેદનશીલની સુચીમાં મૂકવામાં આવ્યા છે તેવી વાત રાજકોટ જિલ્લા કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી એ પત્રકારો સાથે કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે માત્ર ક્ષત્રિય આંદોલનને કારણે જ વધુ ૨૧૦ સંવેદનશીલ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા નથી. પરંતુ ૧૦% કે તેથી ઓછું મતદાન થયું હોય, ટીન કરતાં ઘણું વધારે મતદાન થયું હોય તે સહિતના અલગ અલગ સાત પ્રકારના માપદડં આ બાબત નક્કી કરતા હોય છે.
અન્ય એક સવાલના જવાબમાં કલેકટરે કહ્યું હતું કે સંવેદનશીલ મતદાન મથક સહિતની બાબતોને ધ્યાનમાં રાખી આજે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવશે અને તેમાં આ તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.
કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં અને રાજકોટ સંસદીય મત વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે રાજકોટ શહેરી વિસ્તારમાં છ અને ગ્રામ્ય વિસ્તારમાં છ મળીને કુલ ૧૨ એસઆરપી અને પેરામિલેટરી ફોર્સની કંપનીઓની માગણી કરવામાં આવી છે.
ચાલુ માસના અતં સુધીમાં તાલીમનો તબક્કો પૂરો કરવા પંચનો આદેશ
ચાલુ માસના અતં સુધીમાં તાલીમનો તબક્કો પૂરો કરવા માટે ચૂંટણી પંચે આદેશ આપ્યો છે તેવી વાત કલેકટરે કરી હતી અને જણાવ્યું હતું કે આ બાબતને ધ્યાનમાં રાખીને આગામી તારીખ ૨૭ થી તારીખ ૩૧ એપ્રિલ સુધીમાં પોસ્ટલ બેલેટ દ્રારા કરાતું મતદાન તાલીમના સ્થળોએ પૂં કરવામાં આવશે
ગરમીને ધ્યાનમાં રાખી આરોગ્યલક્ષી સુવિધા વધારાશે
ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી મતદાન મથક અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં ઓઆરએસ અને દવાનો પૂરતા પ્રમાણમાં જથ્થો રાખવામાં આવશે. યાં જર હશે ત્યાં છાયાની અને બેસવા માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવશે. મતદારોની લાઈન મેનેજ કરવા માટે એનસીસીના કેડેટોની પણ મદદ લેવામાં આવશે તેમ કલેકટરે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech