ઇન્દિરા સર્કલે સિટી બસ હિટ એન્ડ રનમાં ચારની જિંદગી હણી લેનાર ડ્રાઈવર અને બસની બ્રેકને લઈ DCPએ કર્યા મોટા ખુલાસા

  • April 16, 2025 06:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ઇન્દિરા સર્કલે સિટી બસ હિટ એન્ડ રનની ઘટનામાં ચારની જિંદગી હણી લેનાર ડ્રાઈવર મામલે મોટો ખુલાસો થયો છે. ડ્રાઇવર શિશુપાલસિંહ રાણાનું ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લાઇસન્સ 17 ફેબ્રુઆરી 2025ના રોજ એક્સપાયર થયેલું નીકળ્યું છે. આ અંગે રાજકોટ DCP ઝોન 2 જગદીશ બાંગરવાએ પણ મોટા ખુલાસા કર્યા છે. 


સ્થળ પરથી બ્લડના નમૂના લેવામાં આવ્યા

જગદીશ બાંગરવાએ જણાવ્યું છે કે, RMCની સિટી બસનો અકસ્માત થયો હતો. જેમાં 4 લોકોના મોત નિપજ્યા હતા. જેને લઈ ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્યવધની કલમો સહિતની કલમો હેઠળ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. FSL દ્વારા પણ સ્થળ પરથી બ્લડના નમૂના લેવામાં આવ્યા છે. ડ્રાઈવરનું ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લાઈસન્સ એક્સપાયર થયેલું હોવાનું સામે આવ્યું છે.


ડ્રાઈવરના બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા છે

બાંગરવાએ વધુમાં જણાવ્યું છે કે, RTOની તપાસમાં સામે આવ્યું કે, બ્રેક ફેઈલ નથી થઈ અથવા તો ટેક્નિકલ ક્ષતિ હોવાનું સામે આવ્યું નથી. બ્રેથ એનેલાઇઝરથી ચેક કરવામાં આવતા ડ્રાઇવર નશામાં હોવાનું સામે આવ્યું નથી, છતાં પણ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પણ જવાબદાર હશે તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News