મહારાષ્ટ્રમાં પુણે પોર્શ અકસ્માતમાં સગીર આરોપીના દાદા સુરેન્દ્ર અગ્રવાલની પોલીસે ધરપકડ કરી છે. અત્યાર સુધી સગીર આરોપીના બિલ્ડર પિતાએ દાવો કર્યો હતો કે અકસ્માતના દિવસે પુત્ર નહીં પરંતુ કાર ડ્રાઈવર કાર ચલાવતો હતો. પરંતુ હવે ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે દાદા સુરેન્દ્ર અગ્રવાલે તેના પર ખોટું નિવેદન નોંધવા દબાણ કર્યું હતું.
ડ્રાઇવરે સુરેન્દ્ર અગ્રવાલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે તેને માર મારવામાં આવ્યો, બંધક બનાવાયો અને પોલીસ સમક્ષ ખોટું નિવેદન નોંધવા દબાણ કરવામાં આવ્યું, ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરેન્દ્ર અગ્રવાલની સવારે 3 વાગ્યે ધરપકડ કરી. જો કે આ પહેલા ડ્રાઈવરે પોતે જ પોલીસને નિવેદન આપ્યું હતું કે અકસ્માતના દિવસે તે પોર્શ કાર ચલાવતો હતો.
પબના CCTV ફૂટેજ સાથે છેડછાડ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કોજી બારના પબના સીસીટીવી ફૂટેજ સાથે છેડછાડ કરવામાં આવી છે જ્યાં સગીર દારૂ પીતો હતો. એટલે કે સીસીટીવી ફૂટેજ સાથે છેડછાડ કરવામાં આવી છે. આરોપીએ પોતે ડિજિટલ પેમેન્ટ કર્યું હતું અને કુલ રૂ. 48 હજારનો ખર્ચ કર્યો હતો. સાથે જ યરવડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આરોપી સગીરને તેની ધરપકડ બાદ VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. તેને ખાવા માટે પિઝા અને બર્ગર આપવામાં આવ્યા હતા. તેથી પોલીસ સ્ટેશનની અંદર લાગેલા સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
પોર્શ કારનું રજીસ્ટ્રેશન રદ
RTO એ પોર્શ કારનું રજીસ્ટ્રેશન 12 મહિના સુધી રદ કર્યું છે જેનાથી સગીરે બે લોકોને કચડી નાખ્યા હતા. આ પહેલા સગીર આરોપી વિશાલના બિલ્ડર પિતાની પણ પોલીસે ધરપકડ કરી છે. આરોપ છે કે અકસ્માત બાદ વિશાલ ફરાર થઈ ગયો હતો. પોલીસને ચકમો આપવા માટે તે પોતાનું લોકેશન બદલતો રહ્યો હતો.
18 મે, 2024 ના રોજ પુણેના કલ્યાણપુરીમાં એક અકસ્માત થયો હતો. એક 17 વર્ષના સગીરે પોર્શ કાર વડે બે લોકોને કચડી નાખ્યા. બંને એન્જિનિયર હતા. મૃતકોના નામ અશ્વિની અને અનીશ છે. સગીર આરોપીએ દારૂ પીધો હતો અને દારૂના નશામાં કાર ચલાવતો હોવાના આક્ષેપો થયા હતા. જોકે તેને 15 કલાકમાં જ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આ અંગે મૃતકના પરિવારજનોએ સવાલો ઉઠાવ્યા હતા કે પોલીસે આરોપીઓ સામે ઓછી કલમો લગાવીને મામલો હળવો કર્યો છે. આ જ કારણ હતું કે આરોપીને કોર્ટમાંથી ઝડપથી જામીન મળી ગયા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપામાં લાખોટા તળાવની પાળે રેકડીઓ બંધ કરાવવા મામલે વિપક્ષ નગરસેવિકા વિફર્યા
May 14, 2025 05:54 PMસચાણાના યુવકે ઇન્સ્ટામાં વિડીયો શેર કર્યો..અને પોલીસે કરી ધરપકડ.
May 14, 2025 05:52 PMભારતમાં પીળું તરબૂચ ક્યાંથી આવ્યું? જાણો તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
May 14, 2025 04:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech