ગિરનારના યાત્રીઓને પીવાનું પાણી બાયોડિગ્રેડેબલ ટેટ્રાપેકમાં અપાશે

  • February 26, 2024 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગિરનાર દર્શને આવતા ભાવિકોને પીવાના પાણી માટે કે અન્ય કોઈ  અગવડતા ન પડે તે માટે જિલ્લ ા વહીવટી તંત્ર દ્વારા  તૈયારી હા કરવામાં આવી છે.કલેકટર  અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન મુજબ નિવાસી અધિક કલેકટર એન.એફ ચૌધરી, પ્રાંત અધિકારી  ભૂમિબેન કેશવાલા, એસીએફ  અરવિંદ ભાલીયા સહિતના અધિકારીઓએ  ભવનાના અતિગિૃહ ખાતે ગિરનાર પર્વતના ધર્ંધાી દુકાનદારો સો  બેઠક યોજી, ગીરનાર પ્લાસ્ટિક મુક્ત રહે તે માટે પરામર્શ કર્યો હતો. જેમાં આ ધંધાર્થીઓને પીવાના પાણીના ટેટ્રાપેક ઉપલબ્ધ કરાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. પીવાના પાણી માટે બાયો ડિગ્રેડેબલ એવા ટેટ્રા પેકની વ્યવસ અમલી બને તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ટૂંક જ સમયમાં આ ધંધાર્થીઓને ટેટ્રાપેક મળી રહે તે માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. તે માટે જિલ્લાના ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી  સંજયભાઈ પુરોહિત પણ જરૂરી સંકલન સાધી રહ્યા છે.

ગિરનારની નવી સીડી નજીક પીવાના પાણી માટેએક ગ્લાસની બોટલનો પોઇન્ટ પણ ઊભો કરવામાં આવશે. આમ, પ્રવાસીઓને પીવાના પાણી માટે  વિકલ્પ પણ મળી રહેશે ઉપરાંત પ્રવાસીઓને પીવાના પાણી માટે નવી ૫ ટાંકીઓ પણ મૂકવા વન વિભાગે જરૂરી કામગીરી હા ધરી છે.


પીવાના પાણી માટે પ્રવાસીઓને પ્લાસ્ટિક મુક્ત જુદા જુદા વિકલ્પ મળી રહે અને ધર્ંધાીઓ પણ આ પ્રકારની વ્યવસ અપનાવે તે માટે તબક્કાવાર કામગીરી કરવામાં આવી રહી છે. સો જ આપણો ગિરનાર પ્લાસ્ટિક મુક્ત રહેવાની સો સ્વચ્છ રહે તે માટે તેવી નેમ સો જિલ્લા  વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે.


૧ લીટર પેકિંગમાં ટેટ્રાપેક આપવા તૈયારી

 ટેટ્રાપેક ૧ લીટર અને ૨૦૦ એમએલના હશે.તેની એક્સપાયરી ૬ મહિના સુધીની હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application