ખાંડયુક્ત પીણાં આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. ખાંડયુક્ત પીણાંના સેવનથી દાંતની સમસ્યાઓ, વજનમાં વધારો અને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા રોગો થાય છે. પરંતુ મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન ખાંડયુક્ત પીણાંનું સેવન કરે છે તેમનાથી જન્મેલા બાળકોમાં અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.
જે મહિલાઓ વધુ પ્રમાણમાં ખાંડયુક્ત પીણાં પીવે છે તેમને ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસથવાની સંભાવના રહે છે .ગર્ભાવસ્થા દરમિયાન થતી ડાયાબિટીસની સમસ્યાને સગર્ભાવસ્થા ડાયાબિટીસ કહેવામાં આવે છે. સગર્ભાવસ્થા ડાયાબિટીસના કિસ્સામાં, બાળકનું વજન સામાન્ય કરતા વધુ હોઈ શકે છે, જેના કારણે બાળકને અને માતાને ડિલિવરી દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય સગર્ભાવસ્થા ડાયાબિટીસના કારણે બાળકનો સમય પહેલા જન્મ અને કમળાની સમસ્યા પણ થઈ શકે છે.
પ્રેગ્નેન્સી દરમિયાન ખાંડયુક્ત પીણાંના વધુ પડતા સેવનથી બાળકનેપર્યાપ્ત માત્રામાં લોહી મળતું નથી, જેના કારણે તેની વિકાસ પર અસર પડે છે. ઉપરાંત, આના કારણે પ્રિમેચ્યોર ડિલિવરીનું જોખમ વધી શકે છે.
અઠવાડિયામાં ચાર વખત આ સુગરયુક્ત પીણાં લેવાથી મેક્રોસોમિયાનું જોખમ પણ વધે છે, એવી સ્થિતિ જેમાં નવજાત બાળકનું સામન્ય વજન કરતાં વધુ હોય છે., સંશોધકોએ જણાવ્યું હતું કે સગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતા ખાંડયુક્ત પીણાં લેવાથી સગર્ભાવસ્થા ડાયાબિટીસ અને સગર્ભાવસ્થાના હાયપરટેન્શનનું જોખમ વધે છે. આ સિવાય મેક્રોસોમિયાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech