ખંભાળિયામાં કાલે વીર માંગડાવાળો તથા સતી પદ્માવતીનું નાટક

  • November 03, 2023 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા રહેશે ઉપસ્થિત

ખંભાળિયા શહેર નજીક આવેલા શક્તિનગર વિસ્તારમાં શિરેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં આવતીકાલે શનિવારે જાણીતા ગૌરક્ષક વીર માંગડાવાળો તથા સતી પદ્માવતીના નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.
માલદેભાઈ આહીર લેખિત તથા નિર્લોક પરમાર દિગ્દર્શિત આ નાટકમાં ભાણવડની પુરુષાર્થ વિદ્યા નિકેતનના છાત્રો કલાકાર તરીકે પોતાની ઉત્કૃષ્ટ કલા રજૂ કરશે. જેમાં જાણીતા કલાકાર લલિતા ઘોડાદ્રા તથા માલદે આહીર ગાયક તરીકે ભાગ ભજવશે. અહીં બહેનો માટે અલગ વ્યવસ્થા તથા લોકો નિહાળી શકે તે માટે મોટી સંખ્યામાં એલ.ઈ.ડી. સ્ક્રીનો પણ મૂકવામાં આવી છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજવામાં આવેલા આ જાહેર નાટકમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ખાસ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શનિવારે રાત્રે ૯ વાગ્યે આ નાટકને નિહાળવા ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના લોકોને અપીલ કરવામાં આવી છે. અહીં યોજવામાં આવેલા વિશાળ આયોજન સ્થળ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application