સંયુક્ત રાષ્ટ્રના જિનીવા કાર્યાલયમાં ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (આઈપીયુ)ની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા છે. ભારતનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે પાકિસ્તાનને આતંકવાદી ફેક્ટરી ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ભારતને ભાષણ આપવાને બદલે ઈસ્લામાબાદે સરહદ પારથી જમ્મુ-કાશ્મીરમાં હુમલા કરતી આ આતંકી ફેક્ટરીઓ બંધ કરવી જોઈએ. આ સાથે, તેમણે ભારપૂર્વક પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ IPUની 148મી બેઠકમાં બોલી રહ્યા હતા.
ભારત પર પાકિસ્તાનની ટિપ્પણીઓને નકારી કાઢતાં હરિવંશે કહ્યું કે, "લોકશાહીનો નબળો ટ્રેક રેકોર્ડ ધરાવતા દેશ માટે અમને ભાષણ આપવું એ હાસ્યાસ્પદ છે. પાકિસ્તાને આવા આરોપો સાથે IPU જેવા મંચનું મહત્વ ઘટાડ્યું ન હોત તો સારું થાત. તેમણે કહ્યું કે, ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને હું ભાગ્યશાળી છું કે ઘણા દેશોએ ભારતીય લોકશાહીને અનુકરણીય મોડલ માની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવા કલાકારોને કાસ્ટ કરવામાં નિર્માતાઓનો છોછ વ્યાજબી નથી
April 01, 2025 11:36 AMએકતા કપૂરે કન્ફર્મ કર્યું...'નાગિન 7' આવશે ચોક્કસ
April 01, 2025 11:33 AMત્રીજા લગ્ન કરવા જઈ રહેલા આમીરે બંને ભૂતપૂર્વ પત્ની સાથે મનાવી ઈદ
April 01, 2025 11:32 AMવરરાજા બની લોટપોટ કરવા કપિલ શર્મા તૈયાર
April 01, 2025 11:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech