છૂપાઈને ધર્મ પરિવર્તન ન કરો,છાપામાં જાહેરાત આપો: અલ્હાબાદ હાઈકોર્ટ

  • April 13, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે દેશમાં લોકો પોતાનો ધર્મ બદલવા માટે સ્વતત્રં છે, પરંતુ આવું ગુ રીતે ન થવું જોઈએ. જો કોઈ વ્યકિત પોતાનો ધર્મ બદલશે તો તેણે અખબારમાં જાહેરાત આપવી પડશે કે આ પરિવર્તન સામે કોઈને કોઈ વાંધો ન આવે. જાહેરાતમાં નામ, ઉંમર અને સરનામું જેવી વિગતો ફરજિયાત છે.


જસ્ટિસ પ્રશાંત કુમારની બેન્ચે એક કેસની સુનાવણી દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈના ધર્મ પરિવર્તનની ઈચ્છાનો વિશ્વસનીય પુરાવો જરી છે. આવી ઈચ્છા પૂરી કરવા માટે કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવું પડશે. તો જ ધર્મ પરિવર્તન માન્ય ગણાશે. આ પછી નેશનલ ગેઝેટમાં એક સૂચના હોવી જોઈએ. કેન્દ્ર સરકારનો સંબંધિત વિભાગ અરજીનું નિરીક્ષણ કરશે અને ધર્મ પરિવર્તન અરજીને ઈ–ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે ધર્મમાં ફેરફાર કાયદેસર હોવો જોઈએ, જેથી દેશભરના તમામ સરકારી આઈડી પર નવો ધર્મ દેખાય. ધાર્મિક પરિવર્તન પાછળ કોઈ છેતરપિંડી કે દબાણ ન હોય તેની ખાતરી કરવી પણ જરી છે. બેન્ચે કહ્યું કે માત્ર મૌખિક અથવા લેખિત ઘોષણાથી ધર્મ પરિવર્તન નથી થતું. તે ચકાસવું મહત્વપૂર્ણ છે કે લ અથવા કાયદાકીય મુશ્કેલીઓ ટાળવા માટે પાંતરણ કરવામાં આવ્યું નથી.

કોર્ટ વારસ અલી અને તેની પત્ની અંજનીની અરજી પર સુનાવણી કરી રહી છે. અરજીમાં તેમના વિદ્ધ ધર્મ પરિવર્તન માટે નોંધાયેલ એફઆઈઆર રદ કરવાની માંગ કરવામાં આવી છે. અરજી અનુસાર, વારિસ અલી સાથેના લ પછી અંજનીએ સ્વેચ્છાએ પોતાનો ધર્મ (હિંદુથી મુસ્લિમ) બદલી નાખ્યો હતો. લ બાદ તેણે એક બાળકીને જન્મ આપ્યો. તેનું કહેવું છે કે તેણે આમ કરીને કોઈ ગુનો કર્યેા નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application