ગુજરાતના પ્રવાસન સ્થળોએ ટુરિસ્ટની સંખ્યા વધતી રહી હોવાનો વિભાગના બ્રોશરમાં દાવો કરવામાં આવ્યો છે. વાયબ્રન્ટ સમિટ પૂર્વે જાહેર કરવામાં આવેલા આંકડામાં એવું બતાવવામાં આવ્યું છે કે ૨૦૨૩ના વર્ષમાં કુલ પ્રવાસીઓની સંખ્યા ૧૪.૯૮ કરોડ થઇ છે. એટલું જ નહીં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો દર્શાવાયો છે. ચાલુ વર્ષે વિશ્વના અલગ અલગ દેશોમાંથી ૨૨ લાખ પ્રવાસીઓ આવ્યા છે.
રાય પ્રવાસન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રાયમાં સૌથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનો રણોત્સવ, સાસણ ગીર અને ધાર્મિક સ્થળોએ જોવા મળ્યાં છે. ૨૦૨૦ના વર્ષમાં કુલ પ્રવાસીઓની સંખ્યા ૬.૦૯ કરોડ હતી તે કોરોના સંક્રમણના બે વર્ષમાં ઘટીને અનુક્રમે ૧.૧૮ કરોડ અને ૨.૬૭ કરોડ નોંધાઇ છે. કોરોનાએ રાયના પ્રવાસન વિભાગને મોટો ફટકો આપ્યો છે પરંતુ ૨૦૨૩માં વિક્રમી સંખ્યામાં ટુરિસ્ટ આવ્યા હોવાનું નોંધાયું છે.
રાયમાં ૨૦૧૩ના વર્ષમાં ટુરિસ્ટની સંખ્યા માત્ર ૨.૫૪ કરોડ હતી જેમાં સતત વધારો નોંધાયો છે. આ સંખ્યા ૨૦૨૦ સુધીમાં ૬.૦૯ કરોડ હતી પરંતુ ચાલુ વર્ષે તેમાં અઢીગણો વધારો થયો હોવાનું ગુજરાત વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ ૨૦૨૪ માટે તૈયાર કરવામાં આવેલા ટુરિઝમના બ્રોશરમાં દર્શાવવામાં આવ્યું છે.
રાય સરકારે ભવિષ્યમાં ડેવલપ થનારા પ્રવાસન સ્થળોમાં બીચ ટુરિઝમને વધારે પ્રોત્સાહન આપ્યું છે. રાય સરકારે માંડવી, બેટ દ્રારકા, શિવરાજપુર, માધવપુર અને તીથલ એમ કુલ પાંચ પ્રોજેકટમાં ખાનગી મૂડીરોકાણ માટે ઇન્વેસ્ટરોને આમંત્રણ આપ્યાં છે.
૨૦૨૦ અને ૨૦૨૩માં નોંધાયેલા ટુરિસ્ટ
વર્ષ ડોમેસ્ટિક ફોરેન
૨૦૨૦ ૬.૭૪ કરોડ ૧૩ લાખ
૨૦૨૩ ૧૪.૯૮ કરોડ ૨૨ લાખ
૨૦૨૫ ૨૦.૦૬ કરોડ (ટાર્ગેટ)૨૯ લા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech