બહરાઈચમાં વરુને પકડવા માટે ઉપયોગમાં લેવાશે ‘ઢીંગલી’, વનવિભાગે બિછાવી નવી જાળ

  • September 02, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં માનવભક્ષી વરુઓને પકડવા માટે વન વિભાગ હવે રંગબેરંગી ઢીંગલી(ટેડી ડોલ્સ)નો ઉપયોગ કરી રહ્યું છે. આ 'ટેડી ડોલ્સ'નો ચારા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ 'ઢીંગલીઓ'ને બાળકોના પેશાબમાં પલાળવામાં આવી છે. જેથી તેમાંથી બાળકોની જેમ ગંધાય છે અને વરુઓ તેમના તરફ આકર્ષાય છે. આ 'ટેડી ડોલ્સ'ને નદીના કિનારે, વરુની જગ્યાઓ અને ગુફા પાસે મૂકવામાં આવી છે.


આ માનવભક્ષી વરુઓ ખૂબ જ દુષ્ટ છે. રાત્રે શિકાર કર્યા પછી, તેઓ તેમની ગુફામાં પાછા ફરે છે. તેઓ તેમના સ્થાનો પણ સતત બદલતા રહે છે. ગ્રામજનો પર હુમલો કરતા આ માનવભક્ષી વરુઓને પકડવા માટે વન વિભાગ હવે બાળકોના પેશાબમાં પલાળેલી રંગબેરંગી ટેડી ડોલ્સનો ઉપયોગ કરી રહ્યું છે.


આ અંગે ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર અજીત પ્રતાપ સિંહે જણાવ્યું - વરુ સતત પોતાનું સ્થાન બદલી રહ્યા છે. સામાન્ય રીતે તેઓ રાત્રે શિકાર કરે છે અને સવાર સુધીમાં તેમના ગુફામાં પાછા ફરે છે. અમારી વ્યૂહરચના તેમને ગેરમાર્ગે દોરવાની અને રહેણાંક વિસ્તારોથી દૂર તેમની ગુફા નજીક મૂકવામાં આવેલા ફાંસો અથવા પાંજરા તરફ આકર્ષિત કરવાની છે.


ફોરેસ્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર – તેઓ થર્મલ ડ્રોનનો ઉપયોગ કરીને તેમનો પીછો કરી રહ્યા છે અને પછી ફટાકડા ફોડીને અને અવાજ કરીને તેમને જાળની નજીકના નિર્જન વિસ્તારો તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ પ્રાણીઓ મુખ્યત્વે બાળકોને નિશાન બનાવતા હોવાથી, વરુની આસપાસ બાળકોના પેશાબમાં પલાળેલી રંગબેરંગી ટેડી ડોલ્સ મૂકી છે જેથી ફાંસોની નજીક માનવ હાજરીની ખોટી છાપ ઊભી થાય. કારણકે પેશાબની ગંધને કારણે વરુ ટેડી ડોલની નજીક આવી શકે છે અને તેને પકડી શકાય છે.


રમેશ કુમાર પાંડે, તરાઈના જંગલોમાં કામ કરવાનો બહોળો અનુભવ ધરાવતા અને હાલમાં પર્યાવરણ મંત્રાલયમાં વન મહાનિરીક્ષક તરીકે ફરજ બજાવતા વરિષ્ઠ IFS અધિકારીએ જણાવ્યું હતું કે અંગ્રેજોએ પ્રદેશમાંથી વરુઓને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ તેમને મારવા બદલ ઈનામ પણ આપ્યું હતું. જો કે  આ પ્રયત્નો છતાં વરુઓ ટકી શક્યા અને નદીના કાંઠાના વિસ્તારોમાં વસવાટ કરવાનું ચાલુ રાખ્યું.


અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રાણીઓને પકડવા માટે વિવિધ પ્રકારના ચારાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં જીવંત ચારો, મૃત ચારો અને નકલી અથવા માસ્ક્ડ ચારાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે વન વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતી ટેડી ડોલ્સને નકલી ચારાનું એક સ્વરૂપ ગણી શકાય.  જેમ કે પક્ષીઓથી પાકને બચાવવા માટે ખેતરોમાં સ્કેરક્રોનો ઉપયોગ કરવામાં આવે છે.


જો કે આવા અભિગમો માટે સફળતાનો કોઈ સાબિત રેકોર્ડ નથી.આ નવા પ્રયાસોને પ્રોત્સાહિત કરવા જોઈએ કારણકે તેઓ માનવ-વન્યજીવન સંઘર્ષનો સંભવિત ઉકેલ આપે છે.


નોંધનીય છે કે તાજેતરના મહિનાઓમાં બહરાઇચના મહસી તાલુકામાં વરુઓનું ટોળું વધુને વધુ આક્રમક બન્યું છે. જુલાઈથી હુમલા વધુ તીવ્ર બન્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર 17 જુલાઈથી છ વરુઓના સમૂહે છ બાળકો અને એક મહિલાને મારી નાખ્યા છે, જ્યારે કેટલાય ગ્રામજનોને ઘાયલ કર્યા છે.


હાલમાં  છમાંથી ચાર વરુઓને પકડી લેવામાં આવ્યા છે  પરંતુ બે હજુ પણ ફરાર છે.  જેઓ આ વિસ્તારમાં ખતરો છે. વન વિભાગ થર્મલ અને રેગ્યુલર ડ્રોનનો ઉપયોગ કરીને આ વરુઓને સક્રિય રીતે શોધી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application