જામનગરમાં કુતરા કહે છે, ઇન્સાન મે તેરા ખુન પી જાઉંગા...

  • June 03, 2025 10:57 AM 

જી. જી. હોસ્પિટલમાં નોંધાયેલા કેસ મુજબ છેલ્લા પાંચ​​​​​​​ મહિનામાં જ ચાર હજારથી વધુ લોકો બન્યા ભોગ, અન્ય ખાનગી હોસ્પીટલના તો અલગ જ...

જામનગર શહેર તથા જિલ્લામાં શ્વાન ત્રાસે માઝા મુકી છે,જિલ્લા કરતાં જામનગર શહેરમાં દિવસેને દિવસે શ્વાન ત્રાસથી શહેરીજનો ગળા સુધી આવી ગયા છે.જામનગર જી.જી.હોસ્પિટલમાં જ ગત પાચ માસમાં ૪૭૨૪ શહેરીજનો કુતરાના બટકાનો ભોગ બન્યા છે અન્ય પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લીધી હોય તે તો અલગ જ.

શ્વાન માનવ જીવન સમયથી જ પરમ મિત્ર રહ્યો છે ,ઘરમાં પાળેલ શ્વાન જેવી વફાદારી બીજો કોઈ જીવ રાખી શક્યો નથી હમણાં એક અપવાદ ઘટના પણ બનાવા પામી છે જે માનવજાતને વિચારતા કરી મુકે છે. જામનગર જી.જી.હોસ્પિટલના આકડા તરફ દષ્ટિપાત કરીએ તો ૨૦૨૩ના વર્ષમાં ૧૦૩૪૬,૨૦૨૪ના વર્ષમાં ૧૨૦૯૮ લોકો કુતરાના બટકા ભરવાનો ભોગ.બન્યા હતા.

ઢોરના ત્રાસથી સબડતા સૌરાષ્ટ્રમાં શેરીઓમાં રખડુ કુતરાના ત્રાસનો વધારો થયો છે વાહનોની પાછળ દોડતા ભસતા કુતરા ઘણી વખત અકસ્માતમાં નીમીત પણ બને છે બહાર પાર્ક કરેલા  ટુ વ્હીલર અને ફોર વ્હીલરોની ઉપર બેસીને વાહનોને પણ નુકશાન કરે છે.

કૂતરા કરડવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં કૂતરા કરડવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. હડકવા કૂતરાના કરડવાથી થાય છે. ઘણા લોકો આ બિમારીનો શિકાર હોય બની શકે છે. આ રોગ જીવલેણ છે અને તેની તાત્કાલિક સારવાર કરવી પણ એટલી જ જરૂરી છે.

કૂતરો કરડ્યા પછી, જો તમે પહેલા ઘરમાં રહેલા સાબુથી ઘા ધોઈ લો તો હડકવાના વાયરસ ઝડપથી નાશ પામે છે. આ માટે  સાબુ વધુ અસરકારક છે. પછી ડ્રેસિંગ પણ એટલું જ મહત્વનું છે.

જામનગર મહાનગરપાલિકાના રિપોર્ટ મુજબ ૨૦૧૬માં ૧૮૩૫૦ શહેરીજનો ભોગ બન્યા હતા. ગત માર્ચમાં જ જામનગરના બેડી નજીક આવેલા જોડિયા ભૂંગામાં રખડતા શ્વાનોના આતંકની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. વોર્ડ નંબર-૧માં આવેલી આંગણવાડી પાસે રમતી ૧૦ વર્ષીય બાળકી પર બે રખડતા શ્વાનોએ હુમલો કર્યો. આ ઘટનાના હચમચાવતા દ્રશ્યો સીસીટીવીમાં કેમેરામાં કેદ થયા હતા.
જામનગર શહેરમાં કુતરાનો ત્રાસ ખૂબ જ વધી ગયો હોવાથી  આગામી દિવસોમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા કુતરાઓની વસ્તી વધારાને નિયંત્રણમાં લાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે તેમ શહેરીજનો ઈચ્છી રહ્યા છે. અગાઉ ખાનગી કોન્ટ્રાકટર પાર્ટી દ્વારા શહેરમાથી કૂતરાઓ માટેની ખસિકરણ ની ઝુંબેશ શરૂ કરાઈ હતી અને  જેના ભાગરૂપે ૯૧૬ શ્વાનનું ખસીકરણ કરી લેવાયું હતું. જામનગર મહાનગરપાલિકાના સતાધિશો શહેરીજનોને શેરીઓના શ્વાન ત્રાસથી મુક્તિ મળે તેવું ઈચ્છી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application