યુપીની હોસ્પિટલમાંથી એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે અને 15 મિનીટ થી જીવન અને મોત સામે ઝઝૂમી રહેલી 60 વર્ષની મહિલાની સારવાર કરવાને બદલે ડોક્ટર મોબાઇલ ફોન પર રીલ્સ જોતા રહ્યા અને દર્દીને નર્સના હવાલે કરી દેતા મહિલાનું અંતે મોત નીપજ્યું હોવાનું ખુલ્યું છે. પરિવારે આક્ષેપ કર્યો હતો કે જો સમયસર સારવાર મળી હોત તો મહિલા જીવી શક્યા હોત.
એક 60 વર્ષીય મહિલા, જેને હાર્ટ એટેક આવ્યો હતો, તેમને મૈનપુરી જિલ્લા હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી અને ફરજ પરના ડોક્ટર તેમના મોબાઇલ ફોન પર રીલ્સ જોવામાં વ્યસ્ત હોઈ મહિલા મૃત્યુ પામી હોવાનો આક્ષેપ તેના પરિવારે કર્યો હતો અને કહ્યું હતું કે ડો.આદર્શ સેંગરની બેદરકારીને કારણે જ આ બન્યું.પ્રવેશ કુમારીને મંગળવારે બપોરના સુમારે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.તેના પરિવારે આરોપ લગાવ્યો હતો કે ડોક્ટરે દર્દીની વ્યક્તિગત રીતે સારવાર કરવાને બદલે એક નર્સને દર્દીની સંભાળ રાખવા સૂચના આપી હતી. સંબંધીઓ દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં,ડોક્ટર તેમના ફોન પર ચોંટી રહ્યા હતા.દર્દીની હાલત વધુ ખરાબ થઈ અને તેના પુત્રએ વિરોધમાં અવાજ ઉઠાવ્યો, ત્યારે સેંગરે કથિત રીતે તેને થપ્પડ મારી દીધી, જેના કારણે હોસ્પિટલમાં અરાજકતા ફેલાઈ ગઈ. થોડી જ વારમાં પોલીસ આવી અને પરિસ્થિતિને કાબુમાં લીધી.
સીસીટીવી ફૂટેજમાં કથિત રીતે ડોક્ટર પોતાની ખુરશી પર બેઠેલા અને પોતાના ફોન તરફ જોતા દેખાય છે જ્યારે નર્સો દર્દીને સંભાળી રહી છે. ફૂટેજમાં ડોક્ટર દર્દીના દીકરાને થપ્પડ મારતા પણ દેખાય છે. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત થઈ છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે.
મહિલાના દીકરા ગુરુ શરણ સિંહે કહ્યું હતું કે હું, મારા ભાઈઓ સાથે, મારી માતાને મૈનપુરી સરકારી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લાવ્યો. તે ગંભીર હતી અને અમે તેને સ્ટ્રેચર પર સુવડાવી. કમ્પાઉન્ડર અને ફરજ પરના નર્સ અન્ય દર્દીઓની સંભાળ રાખી રહ્યા હતા, પરંતુ ડોક્ટર પોતાના ડેસ્ક પર બેઠા હતા અને પોતાના મોબાઇલ ફોનમાં વ્યસ્ત હતા. તેમણે કમ્પાઉન્ડર અને નર્સને આદેશ આપ્યો, અને મારી માતાની સારવાર એવી રીતે કરી કે જાણે તે ઉધરસ અને શરદીથી પીડાતી દર્દી હોય. તેમણે કહ્યું કે નર્સે તેની સંભાળ લીધા પછી મારી માતા સ્વસ્થ થઈ જશે.આ પરિસ્થિતિ 15 મિનિટ સુધી ચાલી. અચાનક, મારી માતાના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું.ડોક્ટર હજુ પણ તેમની ખુરશી પર બેઠા હતા. જ્યારે તેઓ આખરે અમારી તરફ આવ્યા, ત્યારે ગુસ્સામાં હતા. પછી તેમણે મને થપ્પડ મારી. હોસ્પીટલના મુખ્ય તબીબી અધિક્ષક ડો. મદન લાલે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું, આ મામલાની તપાસ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. જો દોષિત ઠરશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech