પોરબંદરના બરડા પંથકના દેવરિયા નજીક આવેલ વેરાડી ડેમ નબળો થયો છે અને તૂટવાનો છે તેવી અફવાઓ ફેલાઇ છે ત્યારે આગેવાને લોકોને અફવામાં નહીં આવવા જાણ કરી છે.
પોરબંદરના સામાજિક અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યુ છે કે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી નાળા અને ડેમો છલકાયા છે. પોરબંદરના બરડાપંથકના દેવરિયા નજીક આવેલ વેરાડી ડેમ નબળો થયો છે. ડેમ તૂટવાનો છે તેવી અફવાઓ ફેલાઇ રહી છે. ત્યારે પોરબંદરના સામાજિક અને રાજકીય અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ વિડીયો સંદેશના માધ્યમથી અપીલ કરી છે કે ડેમ તૂટવાની અફવાઓથી દૂર રહેવું અને હાલ પોરબંદરના બરડા પંથકમાં તમામ ડેમો સલામત છે. ખોટી અફવાઓથી દૂર રહેવું જોઇએ. બરડા પંથકમાં ભારે વરસાદ પડયો છે ત્યારે લોકોએ નદીના પટ પર અવરજવર ન કરવા અને પાણીમાં જીવના જોખમે વાહનો કે લોકોએ પસાર ન થવા સામાજિક અને રાજકીય અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech