રાજકોટ શહેરના મવડી વોર્ડ નં.12માં મહાપાલિકા દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ નિર્મિત શિવ ટાઉનશીપમાં દિવાળી ટાણે પાણીની હોળી પ્રગટી છે. દરમિયાન આવાસધારકોનું ટોળું મહાપાલિકા કચેરીમાં ધસી આવ્યું હતું અને હવે પ્રશ્નો અંગે અરજી નહીં પરંતુ આંદોલન કરાશે તેવી ચીમકી મેયરને પાઠવેલા આવેદન પત્રમાં આવી હતી.વિશેષમાં શિવ ટાઉનશીપમાં પાણીની સગવડતા પુરી પાડવા મેયર નયનાબેન પેઢડિયા સહિતના પદાધિકારીને રહીશોએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે મવડી પાળ રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજના (શિવ ટાઉનશીપ) ફ્લેટમાં આશરે 300થી 350 ફ્લેટધારકો રહે છે પરંતુ અહીં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નળ કનેકશન આપવામાં આવ્યા નથી, વારંવાર અરજી કર્યા બાદ પણ જીવન જરૂરી સગવડ પૂરી પાડવામાં આવતી નથી. બિલ્ડર્સની તેમજ મનપાનાં અધિકારીઓની બેદરકારીનો ભોગ અનેક કુટુંબો ભોગવી રહ્યા છે. અમોને દર વખત અધિકારીઓ દ્વારાઆડા અવળા જવાબો આપી ને ચૂપ કરાવે છે. પાણી એ માણસની મુખ્ય અને પ્રાથમિક જરૂરિયાત હોવાથી અત્યારે જે 350 ફ્લેટ ધારકો રહેવા આવ્યા છે તે પાણીની અછતમાં ગુજરાન ચલાવી રહ્યા છે. તેમને રોજબરોજનાં જીવનમાં પાણીની અગવડતાને કારણે અત્યંત હાડમારીનો સામનો કરવો પડે છે. આવાસ યોજનામાં રહેતાં લોકો સ્વખર્ચે પાણીનાં મોંઘા ટેન્ડર મંગાવી શકે એટલા સક્ષમ ન હોય એ આપ પણ સમજી શકો એવી વ્યાજબી વાત છે. આમ તો લોકાર્પણ વખતે જ આ સમસ્યાનું નિવારણ થવું જોઇએ પરંતુ એને પણ આશરે એક વર્ષ થવા આવ્યું છે. રહીશોની ધીરજ ખૂટતાં હવે અરજીને બદલે આંદોલન કરીને સક્રિય કાર્યવાહી કરવા તરફ આગળ વધશે. તાત્કાલિક ધોરણે અમને પૂરતા પાણીની સગવડ કરી આપવામાં આવે તેવી અરજીના અંતમાં શિવ ટાઉનશિપ્નાં રહેવાસીઓએ માંગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચહેરા પર લસણ ઘસવાનો ટ્રેન્ડ ઈન્સ્ટાગ્રામ પર થઈ રહ્યો છે વાયરલ, જાણો શું છે તેના ફાયદા અને ગેરફાયદા
September 20, 2024 03:08 PMવૃન્દાવન રાસોત્સવ-૨૦૨૪ માટે આયોજકોએ લોહાણા સમાજને આપ્યો લાગણીભીનો સંદેશ
September 20, 2024 03:04 PMકુશ વિના તર્પણ કરવાથી થઇ શકે છે અપશુકન, જાણો આ પાછળની માન્યતા
September 20, 2024 03:02 PMશહેનશાહની સરળતા: શબ્દના ખોટા ઉચ્ચાર બદલ માફી માગી
September 20, 2024 02:46 PM'સ્ત્રી 2'ના 'આઈ નહીં'ના કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ,કોર્ટમાં રજુ કરાશે
September 20, 2024 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech