નવરાત્રી દરમિયાન પોલીસ ફરજ બજાવનારા તમામ પોલીસ કર્મચારી અને પરિવારજનો માટે એક દિવસના ગરબાનું આયોજન
જામનગરના જિલ્લા પોલીસ વડા પોતાના જ પોલીસ પરિવારના કર્મચારીઓ અને તેમના પરિવાર જનો માટે સંવેદનશીલ બન્યા હતા, અને એક નવતર અભિગમો અપનાવ્યો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ફરજ બજાવનારા પોલીસ કર્મચારી ભાઈ- બહેનો કે જેઓ પણ નવરાત્રી મહોત્સવનો આનંદ લઈ શકે, તે માટે સમગ્ર પરિવારની સાથેના એક દિવસના ગરબાનું પોલીસ હેડકવટર્સમાં આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુના સાન્નિધ્યમાં આ એક દિવસના ગરબા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા, અને માતાજીની આરતી કર્યા પછી ગરબા મહોત્સવ યોજાયો હતો. જેમાં એસ.પી. પ્રેમસુખ ડેલુએ પણ રાસ લીધા હતા.
તેઓની સાથે શહેર અને ગ્રામ્ય વિભાગના ડી.વાય.એસ.પી. પોલીસ હેડ ક્વાર્ટરના ડી.વાય.એસ.પી. સહિતના અન્ય અધિકારીઓ, જામનગરના એલસીબી એસઓજી તેમજ શહેરના ત્રણેય પોલીસ મથકના પીઆઇ અને પોલીસ પી.એસ.આઈ. વગેરે અધિકારીઓ તેમજ તમામ પોલીસ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે એક દિવસીય રાસ ગરબા મહોત્સવમાં જોડાયા હતા, અને ડાંડિયારાસનો મહોત્સવ મનાવ્યો હતો.
જામનગરની ઉત્સવપ્રેમી જનતા કે જેઓ નવરાત્રીનો આનંદ માણી શકે અને તેઓની પૂરેપૂરી સુરક્ષા જળવાયેલી રહે તે હતું તે જામનગરના તમામ પોલીસ કર્મચારીઓ સતત નવ દિવસ સુધી ખડે પગે રહ્યા હતા, અને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. જેઓ પણ રાસ ગરબા મહોત્સવમાં જોડાઈને એક દિવસે ગરબા લઈને પોતે પણ નવરાત્રીનો ઉત્સવ ઉજવી શકે તેવી દિશામાં જિલ્લા પોલીસ વડાપ્રધાન દ્વારા પગલું ભરવા આવ્યું હતું. જેથી પોલીસ પરિવારમાં પણ ભારે ખુશીની લહેર પ્રસરી ગઈ હતી ,અને તમામ પરિવારજનો આ ગરબા મહોત્સવમાં જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech