જામનગરના અગ્રણી મેરામણભાઈ ભાટુ દ્વારા અવિરત ધાર્મિક સેવા
ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન બાળાઓ દ્વારા આદ્યશક્તિની ઉપાસના કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આહિર અગ્રણી અને સેવાભાવી કાર્યકર મેરામણભાઈ ભાટુ દ્વારા ખંભાળિયા અને ભાણવડ તાલુકાના જુદાજુદા ગરબા મંડળોમાં બાળાઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર ભાજપના મહામંત્રી તેમજ દેવભૂમિ દ્વારકાના મહેન્દ્ર ટ્રેક્ટરના ડીલર મેરામણભાઈ ભાટુ દ્વારા નવરાત્રીના નવ દિવસ દરમિયાન રૂબરૂ જઈ અને તમામ ગરબા મંડળોમાં માતાજીની આરાધના કરતી બાળાઓને ઇનામો આપીને પુરસ્કૃત કરવામાં આવે છે. નવરાત્રીના પ્રારંભથી જ ખંભાળિયા તેમજ ભાણવડ વિસ્તારના જુદા જુદા 132 જેટલા સ્થળોએ રૂબરૂ જઈને મેરામણભાઈ ભાટુ તેમજ તેમની ટીમ દ્વારા બાળાઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક સેવા પ્રવૃત્તિ કરીને ખરા અર્થમાં ધાર્મિક સેવા તેમજ લોકો વચ્ચે રહેવાનો આ પ્રયાસ કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યાનો ભાવ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ભગીરથ કાર્ય માટે તેમને સેવાભાવી કાર્યકરોની ટીમનો પણ સાથ સહકાર મળી રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : આગામી 17 તારીખે મેવાસા ખાતે યોજાશે સેવાસેતુ કાર્યક્રમ
May 15, 2025 12:20 PMજામનગર જિલ્લા કક્ષાની સ્પોર્ટસ કોલેજ શરૂ કરવા માટે સંસ્થાઓ ઓનલાઈન અરજી કરી શકશે
May 15, 2025 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech