ગુજરાતના મુખ્યમંત્રી સાથે કામ કરવાનો મોકો ઘણાં અધિકારીઓને મળે છે પરંતુ તે પૈકી કે. કૈલાસનાથન એક એવા નિવૃત્ત આઇએએસ અધિકારી છે કે જેઓ રાજ્યમાં મુખ્યમંત્રીના કાયર્લિયમાં છેલ્લા 18 વર્ષથી ફરજ બજાવે છે. હવે તેમના એક્સટેન્શનની ચર્ચા થઇ રહી છે.
તેઓ 2006માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાયર્લિયમાં અગ્રસચિવ તરીકે જોડાયા હતા અને 2013માં મુખ્યમંત્રીના એડિશનલ ચીફ સેક્રેટરીના પદ સુધી રહ્યાં હતા. રાજ્ય સરકારે છ મહિના પહેલાં તેમને એક્સટેન્શન આપ્યું હતું જે 30મી જૂને પુરૂં થઇ રહ્યું છે.
નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા તે પહેલાં એટલે કે 31મી મે 2013ના રોજ વયનિવૃત્ત થયેલા કૈલાસનાથનને તેમણે નવી ઉભી કરેલી ચીફ પ્રિન્સિપલ સેક્રેટરીની પોસ્ટ પર નિયુક્ત કયર્િ હતા. આ સમયથી આજદિન સુધી તેઓ આ પોસ્ટ પર ફરજ બજાવી રહ્યાં છે. આમ તો તેમને દર વખતે એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવે છે પરંતુ છ મહિનાનું છેલ્લું એક્સટેન્શન જોતાં એવી અટકળો વહેતી થઇ હતી કે તેઓ દિલ્હીમાં પીએમઓમાં જશે અથવા કોઇ રાજ્યમાં રાજ્યપાલ બનશે.
2013 થી 2024 સુધી તેઓ સતત 11 વર્ષ સુધી એક જ પોસ્ટ પર કાર્યરત છે. આવું નસીબ ભૂતકાળમાં કોઇને મળ્યું નથી અને ભવિષ્યમાં કોઇને મળશે પણ નહીં. તેઓ નરેન્દ્ર મોદી પછી આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને હાલ ભૂપેન્દ્ર પટેલની સાથે મુખ્યમંત્રી કાયર્લિયમાં ફરજ બજાવી રહ્યાં છે. કૈલાસનાથને એક જ વર્કિંગ સ્ટાઇલથી ચાર મુખ્યમત્રી સાથે કામ કર્યું છે. દર વખતે સરકારમાં તેમનું વજન વધ્યું છે. ગુજરાત સરકારના વહીવટમાં સૌથી સુપ્રીમ પોસ્ટ ચીફ સેક્રેટરીની હોય છે. ભલે કૈલાસનાથન ચીફ સેક્રેટરી થયા ન હોય પરંતુ તેઓ તેમની સમકક્ષ કહી શકાય તેવો હોદ્દો ભોગવી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech