એવિએશન સેક્ટર રેગ્યુલેટર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ તાજેતરમાં ખાસ પરિપત્ર જારી કરીને નિર્દેશ આપ્યો હતો કે એરપોર્ટ અને એરલાઇન્સે મહિલાઓને વધુને વધુ નોકરીઓ આપવી જોઈએ, અત્યારે આ પ્રમાણ 14 ટકા આસપાસ છે જે 25 ટકા સુધી લઈ જવું જોઈએ. આ માટે તમામ એરપોર્ટ અને એરલાઈન્સે સમય સમય પર તેમની એચઆર પોલિસીની સમીક્ષા કરવી જોઈએ. તેમજ મહિલાઓને બને તેટલી વધુ નોકરીઓ આપવાનો પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે.
ડીજીસીએ (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એ ઉડ્ડયન ક્ષેત્રમાં લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે ઘણી ભલામણો જાહેર કરી હતી અને સૂચવ્યું હતું કે એરપોર્ટ અને એરલાઇન્સમાં વિવિધ સ્તરે ઓછામાં ઓછા 25 ટકા મહિલા કર્મચારીઓ હોવા જોઈએ. એરપોર્ટ (ભારતીય એરપોર્ટ) અને એરલાઇન્સ (ઇન્ડિયન એરલાઇન્સ) એ ખાલી જગ્યાઓ પર ભરતી કરવી જોઈએ અને શક્ય તેટલી વધુ મહિલાઓને તક આપવી જોઈએ. ઉપરાંત, મહિલાઓ માટે કામ કરવાની પરિસ્થિતિઓમાં સુગમતા હોવી જોઈએ.
પોલિસી એવી બનાવવી જોઈએ જેથી મહિલાઓએ કામ છોડવું ન પડેડીજીસીએની નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે કંપ્નીઓમાં ઉપયોગમાં લેવામાં આવતી ભાષા ભેદભાવપૂર્ણ ન હોવી જોઈએ. વધુમાં, કર્મચારીઓને ભેદભાવ ટાળવા માટે તાલીમ પણ આપવી જોઈએ. ડીજીસીએએ કહ્યું કે ઉડ્ડયન ક્ષેત્ર મહિલાઓ માટે પડકારો ઉભા કરે છે. પરિવાર અને કામની મૂંઝવણમાં ફસાયેલી ઘણી સ્ત્રીઓ તેનાથી દૂર થઇ જાય છે. તેથી, એરપોર્ટ અને એરલાઈન્સે એવી નીતિઓ બનાવવી જોઈએ કે જેથી કરીને મહિલાઓ કુટુંબની જવાબદારીઓ પૂરી કરવા માટે કામ ન છોડે.ડીજીસીએ અનુસાર, ભારતમાં મહિલા પાયલટની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. વિવિધ એરલાઈન્સમાં મહિલા પાયલટની સંખ્યા લગભગ 14 ટકા છે. જોકે, એવિએશન સેક્ટર રેગ્યુલેટરે કહ્યું કે આ સંખ્યા ઓછામાં ઓછી 25 ટકા હોવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech