માણાવદરમાં ડીઝલની અછત, ખેડૂતો પરેશાન: પેટ્રોલ પંપો પર લાંબી કતારો
માણાવદરમાં ડીઝલની અછત, ખેડૂતો પરેશાન: પેટ્રોલ પંપો પર લાંબી કતારો
May 23, 2026 10:54 AM
માણાવદર તાલુકામાં વાવણીના સમયમાં ડીઝલની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કૃષિ કાર્ય માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા ધરતીપુત્રોમાં તત્રં સામે રોષ જોવા મળી રહ્યો છે.હાલમાં માણાવદરના પેટ્રોલ પંપો પર સવારના ૫ વાગ્યાથી જ ખેડૂતો પોતાના ટ્રેકટરો લઈને લાઈનમાં ઊભા રહે છે. બપોરના ૧૨ વાગ્યા સુધી કાળઝાળ ગરમીમાં કલાકો સુધી રાહ જોયા બાદ તેમને માંડ થોડું ડીઝલ મળે છે અથવા ખાલી હાથે પરત ફરવું પડે છે.પેટ્રોલ પંપની બહાર ૧ થી ૨ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જે ડીઝલની અછતની ગંભીરતા દર્શાવે છે. વાવણીના આ કિંમતી દિવસોમાં ડીઝલ ન મળવાને કારણે ટ્રેકટરો થંભી ગયા છે, જેના લીધે ખેતીના કામો પર સીધી અસર પડી રહી છે. ખેડૂતોની માંગ છે કે જો આગામી દિવસોમાં પૂરતો જથ્થો પૂરો પાડવામાં નહીં આવે, તો વાવણીનો સમય ચૂકી જવાય તેવી ભીતિ છે. તત્રં આ બાબતે વહેલી તકે યોગ્ય પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે