ડાયાબિટીસના દર્દીઓએ નાસ્તામાં સામેલ કરવા જોઈએ આ 5 ફૂડ, જે સુગરને નિયંત્રિત કરવામાં કરે છે મદદ

  • March 02, 2025 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં વ્યક્તિએ પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ખાવા-પીવામાં બેદરકારી રાખવાથી બ્લડ સુગર વધી શકે છે, જે ખતરનાક છે. જાણો એવી 5 વસ્તુઓ વિશે જે ડાયાબિટીસના દર્દીઓ માટે અમૃત સમાન છે. 


ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ડાયાબિટીસના દર્દીઓ તેમના આહાર પર ધ્યાન ન આપે તો આ સમસ્યા ગંભીર બની શકે છે.


નાસ્તો એ દિવસનો સૌથી મહત્વપૂર્ણ ભોજન છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે તેમના નાસ્તામાં આવી વસ્તુઓ સામેલ કરવી વધુ મહત્વપૂર્ણ છે, જે તેમના બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 


ઓટ્સ


ઓટ્સ એક હેલ્ધી નાસ્તાનો વિકલ્પ છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલું ફાઇબર બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઓટ્સમાં જટિલ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે ધીમે ધીમે પચે છે અને સુગર લેવલ અચાનક વધવા દેતા નથી. ઓટ્સને દૂધ કે દહીં સાથે ભેળવીને ખાઈ શકો છો. તેમાં ડ્રાય ફ્રુટ અથવા તાજા ફળો ઉમેરીને તેનો સ્વાદ અને પોષણ વધારી શકાય છે.


ઈંડા


ઈંડા પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે અને તેમાં કાર્બોહાઈડ્રેટ્સ ખૂબ ઓછા હોય છે. પ્રોટીનથી ભરપૂર ખોરાક બ્લડ સુગરને સ્થિર રાખવામાં મદદ કરે છે. ઈંડા ખાવાથી પેટ ભરેલું લાગે છે, જેનાથી બિનઆરોગ્યપ્રદ નાસ્તો ખાવાની ઈચ્છા ઓછી થાય છે. નાસ્તામાં ઓમેલેટ અથવા બાફેલા ઈંડાના રૂપમાં સામેલ કરી શકો છો. 


દહીં


દહીં પ્રોટીન અને પ્રોબાયોટિક્સનો સારો સ્ત્રોત છે. પ્રોબાયોટિક્સ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ઓછી ચરબીવાળું અથવા ગ્રીક દહીં વધુ સારો વિકલ્પ છે. દહીંમાં ફળો અથવા બદામ ઉમેરીને તેને વધુ પૌષ્ટિક બનાવી શકો છો. દહીં ખાવાથી બ્લડ સુગરનું સ્તર સ્થિર રહે છે અને પેટ પણ સ્વસ્થ રહે છે.


નટસ અને બીજ


બદામ, અખરોટ, ચિયા સિડ્સ અને અળસીના બીજ જેવા નટસ અને બીજમાં સ્વસ્થ ચરબી, પ્રોટીન અને ફાઇબર હોય છે. આ બધા તત્વો બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. નટસ અને બીજ ખાવાથી ભૂખ ઓછી લાગે છે અને સુગર લેવલ અચાનક વધઘટ થતુ નથી. તેને ઓટ્સ, દહીં અથવા સ્મૂધી સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. જોકે, આને પણ મર્યાદિત માત્રામાં ખાઓ, કારણ કે તેમાં કેલરી વધુ હોય છે.


લીલા શાકભાજી


પાલક, મેથી, બ્રોકોલી વગેરે જેવા લીલા શાકભાજી ફાઇબર, વિટામિન અને ખનિજોથી ભરપૂર હોય છે. આ શાકભાજીમાં કાર્બોહાઇડ્રેટ્સ ઓછા અને અન્ય પોષક તત્વો વધુ હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેને ઓમેલેટમાં મિક્સ કરી શકો છો અથવા પરાઠા તરીકે ખાઈ શકો છો. લીલા શાકભાજી ખાવાથી માત્ર બ્લ્ડ સુગર નિયંત્રણમાં રહે છે પરંતુ શરી


રને જરૂરી પોષણ પણ મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application