શિવાજીના 3 કિલ્લા સાથે 53 કિલોમીટરની મેરેથોન 11.50 કલાકમાં પુરી કરતા ધ્યાન આચાર્ય

  • December 12, 2023 06:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના 21 વર્ષના ધ્યાન આચાર્યએ મહારાષ્ટ્રમાં યોજાયેલી અલ્ટ્રા મેરોથોનમાં અન્ય દોડવીરોને માત આપીને 11.50 કલાકમાં 53 કિલોમીટર દોડ્યા અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
તાજેતરમાં મહારાષ્ટ્રના પુણે સિંહગઢ ખાતે યોજાયેલી અલ્ટ્રા મેરોથોનમાં દયાન આચાર્ય સાથે 19 રનર્સ એ ભાગ લીધો હતો.


આ એક જોડ એવી પ્રકારની હતી કે જે સીધા અને સળંગ રસ્તા પર દોડવાની ન હતી. જેમ કહેવત છે કે જીવનના દરેક રસ્તા સીધા હોતા નથી રસ્તા પર આવતા વળાંકો પર દરેક વ્યક્તિઓએ ચાલવાનું હોય છે તેવી જ રીતે આ મેરોથોનમાં રસ્તાની સાથે ત્રણ કિલ્લા પર દોડવાનું હતું જેમાં શિવાજીના 3 કિલ્લાઓ કે જે સિંહગઢ, રાજાદ અને તોનર્િ છે તેને આવરી લેવો અત્યંત મુશ્કેલ હતો. 5 લોકો તેને 19 ની ટીમમાંથી કટ ઓફ ટાઈમમાં પૂર્ણ કરવામાં સક્ષમ હતા. આ અલ્ટ્રાનો પ્રયાસ કરવો એ માત્ર એક મોટી બાબત છે.

આ મેરેથોનમાં ભાગ લેનાર સમનીત ઠાકુર એ 9. 22 કલાકમાં 53 કિલોમીટર, અભિનવ ભારદ્વાજે 11.34 કલાકમાં 53 કિલોમીટર અને ધ્યાન આચાર્ય 11.50 કલાકમાં 53 કિલોમીટર ની દોડ લગાવી હતી. સૌથી ઓછા ટાઈમમાં આ દોડ પૂરી કરનાર આ ત્રણેય રનર્સને શુભેચ્છાવષર્િ થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application