બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર શાક્રીની હત્યાની ધમકી, આરોપીની ધરપકડ

  • September 04, 2023 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના હાફિઝગજં પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસે બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાક્રીને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આ જાણકારી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હાફિઝગજં પોલીસ સ્ટેશન વિસ્તારના રિઠૌરાના રહેવાસી અનસ અંસારીએ ઈન્સ્ટાગ્રામ પર ધમકી આપતી પોસ્ટ કરી લખ્યું હતું કે બાબા પર મોત મંડરાઇ રહ્યું છે. બરેલીના પોલીસ અધિક્ષક (ગ્રામ્ય) રાજ કુમાર અગ્રવાલે જણાવ્યું કે હાફિઝગજં પોલીસ સ્ટેશન વિસ્તારના રિઠૌરાના રહેવાસી અનસ અંસારીએ ઈન્સ્ટાગ્રામ પર ધીરેન્દ્ર શાક્રી વિશે ભડકાઉ વાતો લખી અને શાક્રીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસ અધિક્ષક (ગ્રામ્ય) એ જણાવ્યું કે આ મામલામાં પોલીસે ભારતીય દડં સંહિતાની કલમ ૨૯૫ (ધાર્મિક લાગણીઓનું ઈરાદાપૂર્વક અપમાન), ૫૦૪ (શાંતિ ભગં કરવા ઉશ્કેરવાના ઈરાદાથી ઈરાદાપૂર્વક અપમાન) અને સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. હાફિઝગજં પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૮ કલમ હેઠળ કેસ નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.


આ મામલે હિન્દુ જાગરણ મચં અને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. આ સાથે સોશિયલ મીડિયા સાઇટ  પર વિવાદિત પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરીને બરેલી પોલીસ, ,  અને ને ટેગ કરીને આરોપીઓ વિદ્ધ કાર્યવાહીની માંગ કરી જેના પછી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અનસ અંસારી કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે કે કેમ ?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application