ખંભાળિયામાં સનાતન ધર્મને અનુલક્ષીને આજે ધર્મસભા

  • October 26, 2023 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધર્મ પ્રત્યે જાગૃતિ સંદર્ભે મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદપુરી મહારાજની ઉપસ્થિતિ


સનાતન ધર્મના પૂજનીય અને શ્રી શંભુ પંચદશનામ આવાહન અખાડાના શ્રી 1008 મહામંડલેશ્વર અનંત વિભૂષિત સ્વામી શ્રી કૃષ્ણાનંદપુરી મહારાજ (ધ્રાસણવેલ વાળા બાપુ) ના વડપણ હેઠળ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ધર્મયાત્રાનું આયોજન થઈ રહ્યું છે.



સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ સંચાલિત દેવભૂમિ દ્વારકાના આંગણે ધર્મ જાગરણના યજ્ઞના સ્થાને મહામંડલેશ્વર સ્વામી શ્રી કૃષ્ણાનંદ પુરીજીના અધ્યક્ષ સ્થાને આજરોજ ગુરૂવાર તારીખ 26 ના રોજ ખંભાળિયા ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે.


અહીંના જોધપુર ગેઈટ ચોકમાં ગાંધીજીના પૂતળા પાસે આવતીકાલે ગુરુવારે સાંજે છ થી આઠ વાગ્યા સુધી યોજવામાં આવેલી આ ધર્મસભામાં સહભાગી થવા સનાતન ધર્મપ્રેમી હિન્દુ ભાઈઓ-બહેનોને આયોજકો અજીતભાઈ કિરતસાતા, વિજયભાઈ કટારીયા, પ્રફુલભાઈ દાસાણી તેમજ પ્રવીણસિંહ કંચવા દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application