યાત્રાધામ દ્વારકામાં ભાદરવી પુનમના શ્રધ્ધાળુંઓનું ધોડાપુર ઉમટ્યું

  • September 19, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પવિત્ર ગોમતી નદિમાં સંખ્યાબંધ ભાવિકોએ સ્નાન કરી પુણ્યનું ભાથુ બાંધ્યુ : પુનમ નિમીતે કાળિયા ઠાકોરના અલૌકિક શણગાર કરાયા : ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી


યાત્રાધામ દ્વારકા ખાતે ભાદરવી પુનમના શ્રધ્ધાળુંઓનું ધોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી ભાવિકોથી ગોમતી ધાટ ઉભરાયું હતું. ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. વહેલી સવારે જગતમંદિર ખુલ્લે એ પહેલા છપ્પનસિડીએ કાળિયા ઠાકોરના મંગલાના દર્શન કરવા ભક્તોની કતારો લાગી હતી. પુનમ નિમીતે વારદાર પુજારીએ ઠાકોરજીને અલૌકિક શણગારની ઝાખી કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમ્યાન છપ્પનસિડી મોક્ષ દ્વારા તેમજ સ્વર્ગ દ્વારે શ્રીજીના દર્શન કરવા ભાવિકોની લાંબી કતારો જોવા મલી હતી. પુનમના સંખ્યાબંધ ભાવિકો કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application