બુધવારે થશે મંગલ પૂર્ણાહુતિ
ખંભાળિયા તાલુકાના ભાણવડ માર્ગ પર આવેલા સુતારીયા ગામે સ્થિત પૂજ્ય કરસન ભગતની જગ્યા - રામેશ્વર ધામ ખાતે મંગળવાર તારીખ 16 થી શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ થયો છે.
જાણીતા કથાકાર શ્રી કૌશિકભાઈ ભટ્ટ (રાણસીડી)ના વ્યાસાસને ચાલી રહેલી આ ભાગવત સપ્તાહમાં આજરોજ ગુરુવારે જગદંબા પ્રાગટ્ય તેમજ રાત્રે 10 વાગ્યે જાણીતા કલાકારો સાથેના સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આગામી મંગળવાર તારીખ 23 મી ના રોજ રાસલીલા મંડળીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. દેવી ભાગવત સપ્તાહની મંગલ પૂર્ણાહુતિ બુધવાર તારીખ 24 મી ના રોજ થશે. આ સપ્તાહ દરમિયાન જુદા જુદા સ્થળોએથી જાણીતા સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહેશે. દરરોજ સવારે 9 થી 12 તથા બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી કથા શ્રવણનો લાભ લેવા આયોજક પૂજ્ય મણીમાતા (ગુરુ શ્રી મંગલનાથજી) તેમજ નગાભગત (ગુરુ શ્રી મણી માતાજી) દ્વારા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech