મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ ૧૭ જેટલી યોજનાઓના લાભો વિતરણ કરાયા
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને દરેક લોકો સુધી પહોંચાડી વંચિતોને વરિયતા પ્રદાન કરવાના ઉત્કૃષ્ઠ અભિગમ સાથે આયોજિત ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું જામનગર તાલુકાના નાની ખાવડી તથા ખારાવેઢા ગામે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓના લાભો આપી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મનિષાબેન કણજારીયા, મુકુંદભાઇ સભાયા, કુમારપાલસિંહ રાણા, વિપુલસિંહ જાડેજા, ગોકળભાઇ ભંડેરી, પ્રફુલગીરી ગોસ્વામી, જનપ્રતિનિધિઓ, સરપંચો સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech